[૧ર૦] રોઝી અને દીનદારી બન્નેવ તકદીર મુજબ જ મળે છે

Chapter : તકદીર

(Page : 343 to 347)

[૧ર૦] રોઝી અને દીનદારી બન્નેવ તકદીર મુજબ જ મળે છે

સવાલ  : સામાન્ય રીતે લોકોમાં દીન બાબત ગફલત દૂર કરવા અને દીની મહેનતની રગબત પેદા કરવા બયાનમાં આ વાકયોનો ઉપયોગ થાય છે કે,

“દીન બકદરે મશક્કત ર્થાર રોઝી બકદરે મુકદ્દર”

[દીન મહેનત પ્રમાણે અને રોઝી તકદીર પ્રમાણે મળે છે.]

તો શું આ વાકયો દીની દ્રિષ્ટએ સહીહ છે ?જયારે કે આપણો અકીદો છે કે ભલી અને બુરી બધી જ બાબતો તકદીરના તાબે છે અને જે કંઈ માણસ કરે છે અને જે કંઈ થાય છે,તે અલ્લાહ તઆલાએ નકકી ફરમાવેલ તકદીર મુતાબિક જ થાય છે.

અને હદીસ શરીફમાં છે કે,

“જફ્ફલ્ કલમુ બિમા અન્ત લાક.”

તમોને જે વસ્તુ પેશ આવનારી છે તે વિશે કલમ સૂકાઈ ચૂકી છે, એટલે કે તે તકદીરમાં લખાઈ ચૂકી છે.                        (જલાલપુર, જિ.નવસારી)

જવાબ  : મજકૂર બે વાકયોમાંથી પહેલા વાકયમાં વપરાયેલો દીન શબ્દ બદલાના અર્થમાં પણ વપરાય છે. માટે બુખારી શરીફ પેજ નં. ૬૪ર, બીજી જિલ્દ, કિતાબુત્તફસીરમાં દીન શબ્દનો આ અર્થ લખવામાં આવ્યો છે માટે જો પહેલા વાકયનો આ મતલબ હોય કે,

દીન પર અમલ કરવાનો બદલો અને અજ્ર મશક્કત અને તકલીફના પ્રમાણે મળે છે તો આ મતલબની દ્રિષ્ટએ મજકૂર વાકય સહીહ છે.

અને જો મજકૂર બંનેવ વાકયોનો તકદીરની દ્રિષ્ટએ દીનદારી અને રોઝીનો તફાવત સમજાવવા માટે ઉપયોગ કરવામાં આવે અને આ પ્રમાણે મતલબ લેવામાં આવે કે,

રોઝી તો તકદીર મુજબ જ મળે છે તેમાં મહેનત અને શ્રમનો કોઈ દખલ નથી અને દીનદારી અને દીન ઉપર અમલ તો પોતાની મહેનત અને કોશિષના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, તેમાં તકદીરનો કોઈ દખલ નથી,

તો આ મતલબ તકદીરના અકીદાના વિરુદ્ઘ અને સદંતર ગલત છે, કારણ કે કુર્આની આયતો અને ઘણી નબવી હદીસોથી આ વાત સ્પષ્ટ રીતે સાબિત છે કે :

૦      ઇન્સાનને હિદાયત અથવા ગુમરાહી મળવી અને

૦      તેણે ભલા, ભૂંડાં કામો કરવા અને

૦      તેનું જન્‍નતી અથવા જહન્‍નમી હોવું અને

૦      તેને રોઝી, ઉમ્ર વગેરે દરેક વસ્તુ                તકદીરે ઈલાહી અને કઝાએ રબ્બાની મુજબ જ થાય છે,

૦      કયા માણસને કેટલી દીનદારી મળવાની છે એ પણ તકદીરમાં લખાઈ ચૂકયું છે અને તકદીર પ્રમાણે દીનદારીનું પ્રાપ્ત થવું તેના માટે સરળ કરી દેવામાં આવે છે.            હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે, “દરેક વસ્તુ તકદીરમાં નકકી થઈ ચૂકી છે અહીયા સુધી કે આજિઝી અને હોશિયારી પણ નકકી થઈ ચૂકી છે.” (“મિશકાત શરીફ” પેજ : ૧૯)

વળી હદીસ શરીફમાં છે કે દરેક માણસનો અમલ, તેની ઉમ્ર, તેની રોઝી અને તેનું બદબખ્ત અથવા નેક હોવું તેની પેદાઈશથી પહેલાં જ લખી લેવામાં આવે છે.                                             (“મિશકાત શરીફ” : ર૦)

અકાઈદની કિતાબોમાં તકદીરના અકીદહને કુર્આન અને હદીસની

દલીલો સાથે સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યો છે.(“અકીદતુત્-તહાવી” : ૪૪ / ૯૩)

રોઝી અને દીનદારી તકદીરમાં પહેલેથી નકકી હોવાનો મતલબ એ પણ નથી કે માણસ હાથ-પગ જોડી અને બાંધીને બેસી રહે, કારણ કે દીન અને દુનિયાની દરેક વસ્તુ તકદીરમાં નકકી હોવા છતાં મુસલમાનને તેના ઇિખ્તયાર અને ઇરાદાથી અનેક આ”માલ અને અસબાબ અપનાવવાના હુકમો આપવામાં આવ્યા છે અને મહેનત અને મુજાહદહ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે અને જેની જેવી તકદીર હોય તેના માટે તેવા આ”માલને સરળ બનાવવામાં આવ્યા છે.

હઝરત અલી (રદિ.) નકલ કરે છે કે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલલાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,“તમારામાંથી કોઈ એક માણસ પણ એવો નથી કે જહન્‍નમ અથવા જન્‍નતમાં તેનું ઠેકાણું લખાઈ ન ચૂકયું હોય.” સહાબએ કિરામ (રદિ.)એ અરજ કરી કે,   યા રસૂલલ્લાહ ¦ તો આ પછી શું અમો અમારા તકદીરના લખાણ પર ભરોસો ન કરીએ અને અમલી દોડધામને છોડી ન દઈએ ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે,“અમલ કરતા રહો, કારણ કે જે માણસ જે આ”માલ માટે પેદા કરવામાં આવ્યો છે તેના માટે તે જ પ્રકારના આ”માલ સરળ બનાવી દેવાયા છે, જે નેક હશે તેના માટે નેકીના કામ સરળ બનશે અને જે બદબખ્ત હશે તેના માટે બદબખ્તીના કામ સરળ બનશે.”પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ (એ વાતની પુષ્ટિ રૂપે) કુર્આને કરીમની આ આયત પઢી : “ફઅમ્મા મન્ અઅ્તા વત્તકા વ સદ્દ-ક બિલ્ હુસ્ના…”

જે માણસે (અલ્લાહ તઆલાની રાહમાં) માલ આપ્યો અને અલ્લાહ તઆલાથી ડરતો રહ્યો અને ભલી વાત (મિલ્લતે ઇસ્લામી)ને સાચી માની તો અમો રાહતની વસ્તુ (નેક અમલ) માટે આસાની કરી આપીશું.(“બુખારી-મુસ્લિમ શરીફ”)

હઝરત અનસ (રદિ.)થી એક સહીહ હદીસ નકલ છે કે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “જયારે અલ્લાહ તઆલા કોઈ બંદા વિશે ભલાઈનો ઇરાદો ફરમાવી લે છે તો તેનાથી નેક કામ કરાવી લે છે.” આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પૂછવામાં આવ્યું કે, “અલ્લાહ તઆલા તેનાથી કેવી રીતે નેક કામ કરાવે છે ? “ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે, “મવતથી પહેલાં તેને નેક કામની તવફીક અતા ફરમાવે છે.”  (“તિરમિઝી શરીફ”)

મતલબ આ છે કે જન્‍નતી જન્‍નતમાં અથવા દોઝખી દોઝખમાં તો તેની તકદીરથી જ જશે; પરંતુ કાયદા અનુસાર મોતથી પહેલાં તેનાથી એવા જ આ”માલ કરાવવામાં આવશે, તાકે દોઝખ અથવા જન્‍નત મળે તો તેના અસબાબ મુજબ જ મળે અને કઝા અને તકદીર પણ એવી રીતે લાગુ પડે કે આલમે અસબાબમાં જે નિઝામે અસબાબ નકકી કરાયો છે તે પણ વ્યવિસ્થત અને જળવાયેલો રહે.                            (“તર્જુમાનુ-સ્-સુન્‍નહ” : ૩ / ૯૯)

Log in or Register to save this content for later.