Chapter : હઝરાતે અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)
(Page : 165,166)
[પ૮] નબી અને રસૂલમાં ફરક
સવાલ : નબી , રસૂલ અને પયગમ્બર કોને કહેવામાં આવે છે. ત્રણેય જુદા જુદા કેમ ઈિસ્તઅમાલમાં આવે છે ?
જવાબ : નબી અને રસૂલમાં એ પ્રમાણે ફરક છે : રસૂલ પાસે નવી શરીઅત અને કિતાબ હોય છે અથવા પોતાનાથી આગળના નબીની શરીઅતમાં થોડો ફેરફાર લઈને આવેછે. જયારે નબી માટે નવી શરીઅત કે કિતાબ હોવી જરૂરી નથી.
અમૂક આલિમોએ આ પ્રમાણે ફરક નકલ કર્યો છે કે :
રસૂલને અહકામે ઇલાહીની તબ્લીગનો હુકમ હોય છે જયારે નબી માટે મજકૂર હુકમ જરૂરી નથી. પ્રત્યેક રસૂલ નબી હોય છે પરંતુ પ્રત્યેક નબીનું રસૂલ હોવું જરૂરી નથી. પયગમ્બર એ રસૂલ શબ્દનો ફારસી અને ઉર્દૂ તરજુમો છે કોઈ અલગ પ્રકાર નથી. [“શર્હે ફિકહે અકબર” : ૭૧, “મુસામરહ” : ૯૬]
[પ૯] સૂતી વખતે દિલનું જાગવું અમ્બિયા અલયહિમુસ્સલામની વિશિષ્ટતા છે
સવાલ : હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું દિલ ઊંઘતું નથી , તો શું હમારું દિલ પણ ઊંઘતું નથી ?
જવાબ : હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને બીજા હઝરાતે અમ્બિયા અલયહિમુસ્સલામનું દિલ સૂતી વેળા ઊંઘતું નથી ,તેઓની ઊંઘ ફકત આંખો સુધી જ મર્યાદિત રહે છે અને દિલ જાગતું રહે છે,આ હાલત અમ્બિયા લયહિમુસ્સલામની વિશિષ્ટતા છે.
હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે :
“મારી આંખો ઊંઘે છે અને મારું દિલ ઊંઘતું નથી.” [“સહીહૈન”]
માટે જ હઝરત અમ્બિયા અલયહિમુસ્સલામની ઊંઘથી તેઓનું વુઝૂ તૂટતું નથી. સામાન્ય ઉમ્મતીઓનાં દિલો તો તેઓના સૂવાની હાલતમાં ઊંઘે છે એટલે જ ઉમ્મતીઓની ઘેરી ઊંઘથી તેઓનું વુઝૂ તૂટી જાય છે.“શામી”:૧ / ૯૭, “નવવી શરીફ”, “મુસ્લિમ શરીફ”] Log in or Register to save this content for later.