Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : ;)
જનાઝાની નમાઝ પઢવાની રીત
સૌ પ્રથમ સફમાં ઉભા થઈ નિય્યત કરવી કે હું આ મય્યિતની મગફિરત માટે આ ઈમામના પાછળ, ચાર તકબીરોની સાથે નમાઝ પઢું છું, મોં મારૂં કિબ્લહ ના સામે, અલ્લાહના વાસ્તે.
પછી જયારે ઈમામ સાહબ ”અલ્લાહુ અકબર” કહે તો તમારે પણ અલ્લાહુ અકબર કહીને બંને હાથ તકબીરે તહરીમહના જેમ કાનો સુધી ઉઠાવી ”અલ્લાહુ અકબર” કહી ડૂંટીના નીચે બાંધી દેવા અને ”સુબ્હાનકલ્લાહુમ્મ” (છેવટ સુધી) પઢવું.(યાદ રહે કે આ સના પઢવામાં, ”વતઆલા જદદુક” પછી ”વજલ્લ સનાઉક”નો શબ્દ વધારવો.)
જયારે ઈમામ સાહબ બીજી તકબીર કહે તો તમારે પણ હાથ ઉઠાવ્યા વગર બીજીવાર ”અલ્લાહુ અકબર” કહી, નમાઝના આખરી કાયદામાં પઢવામાં આવતું દુરૂદ શરીફ એટલે કે ”દુરૂદે ઇબ્રાહીમ” પઢવું.
એવી જ રીતે જયારે ઈમામ સાહેબ ત્રીજીવાર તકબીર કહે તો હાથ ઉઠાવ્યા વગર તમારે પણ તકબીર કહેવું અને જે પ્રમાણેની મય્યિત હોય (એટલે કે બાલિગની અથવા નાબાલિગ છોકરા, છોકરીની) એવી દુઆ પઢવી., જેની વિગત નીચે પ્રમાણે છે :
જો બાલિગ મર્દ અથવા ઓરતની મય્યિત હોય તો ત્રીજી તકબીર પછી આ દુઆ પઢવી.
اَللّٰھُمَّ اغْفِرْ لِحَیِّنَا وَمَیِّتِنَا وَ شَاھِدِنَا وَ غَآئِبِِنَا وَ صَغِیْرِنَا وَ کَبِِیْرِنَا وَ ذَکَرِنَا وَ اُنْثَانَا، اَللّٰھُمَّ مَنْ اَحْیَیْتَہٗ مِنَّا فَاَحْیِہٖ عَلَی الاِسْلامِ وَ مَنْ تَوَفَّیْتَہٗ مِنَّا فَتَوَفَّہٗ عَلَی الاِیْمَان۔
અલ્લા હુમ્મગ્ફિર લિહય્યિના વ મય્યિતિના વ શાહિદિના વ ગાઈબિના વ સગીરિના વ કબીરિના વ ઝકરિના વ ઉન્સાના અલ્લાહુમ્મ મન અહ્યય્તહૂ મિન્ના ફઅ્હયિહી અલલ ઇસ્લામ વ મન તવફફયતહૂ મિન્ના ફતવફફહૂ અલલ ઈમાન.
( અય અલ્લાહ ! અમારા જીવંત લોકો માટે અને અમારા મૃત લોકો માટે અને અમારા હાજર લોકો માટે અને અમારા ગાયબ લોકો માટે અને અમારા નાનાઓ માટે અને અમારા મોટેરાઓ માટે મગફિરત ફરમાવો. અય અલ્લાહ ! જેઓને તમોં (હવે પછી) અમારામાંથી જીવતા રાખો તેઓને ઇસ્લામ પર જીવંત રાખો અને જેઓને અમારામાંથી તમો મોત આપો તેઓનો ઈમાન પર ખાતમો ફરમાવો.)
અને જો નાબાલિગ છોકરાની મય્યિત હોય તો ત્રીજી તકબીર પછી આ દુઆ પઢવી.
اَللّٰھُمَّ اجْعَلْہٗ لَنَا فَرَطاً وَّ اجْعَلْہٗ لَنَا اَجْراً وَّ ذُخْراً وَّ اجْعَلْہٗ لَنَا شَافِعاً وَّمُشَفَّعا
”અલ્લાહુમ્મજ અલ્હુ લના ફરતંવ વ જહઅલ્હૂ લના અજરંવ વ ઝુખરંવ વજ અલ્હૂ લના શાફિઅંવ વ મુશફફઆ.”
( અય અલ્લાહ ! આ છોકરાને અમારા માટે આગળ જનાર બનાવો અને તેને અમારા માટે અજર અને જમા પૂંજી બનાવો અને તેને અમારા માટે સિફારિશ કરનાર અને સિફારિશ માન્ય રાખેલ બનાવો.)
અને જો નાબાલિગ છોકરીની મય્યિત હોય તો ત્રીજી તકબીર પછી આ દુઆ પઢવી.
اَللّٰھُمَّ اجْعَلْہَا لَنَا فَرَطاً وَّ اجْعَلْہَا لَنَا اَجْراً وَّ ذُخْراً وَّ اجْعَلْہَا لَنَا شَافِعۃً وَّمُشَفَّعۃ
” અલ્લાહુમ્મજ અલ્હા લના ફરતંવ વજ અલ્હા લના અજરંવ વ ઝુખરંવ વજ અલ્હા લના શાફિઅતંવ વ મુશફફઅહ.”
( અય અલ્લાહ ! આ છોકરીંને અમારા માટે આગળ જનાર બનાવો અને તેને અમારા માટે અજર અને જમા પૂંજી બનાવો. અને તેને અમારા માટે સિફારિશ કરનાર અને સિફારિશ માન્ય રાખેલ બનાવો.)
પછી ઈમામ સાહબ ચોથીવાર ”તકબીર” કહી સલામ ફેરવશે તો તમો પણ હાથ ઉઠાવ્યા વગર બંને તરફ સલામ ફેરવી આપો.
યાદ રાખો કે ચારેવ તકબીરો એટલે કે ચાર વખત તકબીર કહેવું ફર્ઝ છે, જો કોઈ એક તકબીર પણ છોડી આપશો એટલે કે તકબીર નહિ કહેશો તો નમાઝ થશે નહિ, માટે જો તમો એવા સમયે નમાઝમાં શામિલ થયા કે તમારા શામેલ થતા પહેલાં અમુક તકબીરો થઈ ગઈ છે, તો સૌ પ્રથમ તો તમો હવે ઇમામની આગલી તકબીરની રાહ જુઓ અને ઇમામ તકબીર કહે એટલે તમો પણ તકબીર કહી નમાઝમાં શામિલ થઈ જાઓ અને આ તકબીર તમારા માટે તકબીરે તહરીમહ ગણવામાં આવશે, પછી જયારે ઇમામ સાહબ સલામ ફેરવે, તો તમો સલામ ના ફેરવો પણ પોતાની છુટેલી તકબીરો અદા કરીને પછી સલામ ફેરવો.
અને જો તમો એવા સમયે નમાઝમાં શરીક થઈ રહયા છો કે ઇમામ સાહબ ચોથી તકબીર કહી ચુકયા છે તો તમો જરા પણ રાહ જોયા વગર અલ્લાહુ અકબર કહી નમાઝમાં શરીક થઈ જાઓ અને ઇમામના સલામ ફેરવ્યા પછી તમારી છુટી ગયેલી ત્રણેવ તકબીરો કહીને તમો પણ સલામ ફેરવી આપો.
સલાતુત્તસ્બીહ એટલે કે દુઆએ મગફિરત
આ નમાઝ પઢવાથી બેહદ સવાબ મળે છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાના કાકા હઝરત અબ્બાસ (રદિ.)ને આ નમાઝ શીખવાડી હતી અને ફરમાવ્યું હતું કે આ નમાઝ પઢવાથી તમારા આગલા–પાછલા, નવા–જૂના, નાના–મોટા બધા ગુનાહ માફ થઈ જશે. અને ફરમાવ્યું હતું કે જો બની શકે તો દરરોજ આ નમાઝ પઢો, રોજ બની ન શકે તો અઠવાડિયામાં એક વખત, અગર અઠવાડિયામાં ન બને તો વર્ષમાં એક વખત પઢો અને જો એ પણ ન થઈ શકે તો આખી ઉમરમાં એક વખત જરૂર પઢી લો.
સલાતુત્તસ્બીહમાં નીચેની તસ્બીહ પઢવામાં આવે છે :
سُبْحَانَ اللّٰہِ وَ الْحَمْدُ لَلّٰہِ وَ لَآ اِلٰہَ اِلَاَّ اللّٰہُ وَ اللّٰہُ اَکْبَرْ
”સુબ્હાનલ્લાહિ વલ્ હમ્દુલિલ્લાહિ વલાઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર”
એને આ રીતે પઢવામાં આવે છે કે સૌ પ્રથમ સલાતુત્તસ્બીહની નિય્યત કરો, તકબીરે તહરીમહ (અલ્લાહુ અકબર) કહી કોલ બાંધો, ત્યાર પછી સના પઢો,
સના પઢયા પછી | ઉપરોક તસ્બીહ | ૧પ વખત પઢો |
ફાતિહા અને સૂરત પછી | ” | ૧૦ વખત પઢો
|
રૂકૂઅની તસ્બીહ પછી
|
”
|
૧૦ વખત પઢો
|
રૂકૂઅથી ઉઠીને (કૌમામાં)
|
”
|
૧૦ વખત પઢો
|
પહેલા સિજદહની તસ્બીહ પછી
|
”
|
૧૦ વખત પઢો
|
બંને સિજદાઓ વચ્ચે (જલ્સામાં)
|
”
|
૧૦ વખત પઢો
|
બીજા સિજદહની તસ્બીહ પછી | ”
|
૧૦ વખત પઢો
|
આ રીતે એક રકા’તમાં કુલ ૭પ વખત થશે, હવે બીજી રકા’તમાં આ પ્રમાણે પઢવામાં આવશે :
સૂરએ ફાતિહાથી પહેલા
|
ઉપરોક તસ્બીહ
|
૧પ વખત પઢો
|
કિર્અત પછી(રૂકૂઅ પહેલાં)
|
”
|
૧૦ વખત પઢો
|
રૂકૂઅની તસ્બીહ પછી
|
”
|
૧૦ વખત પઢો
|
રૂકૂઅથી ઉઠીને (કૌમામાં)
|
”
|
૧૦ વખત પઢો
|
પહેલા સિજદહની તસ્બીહ પછી
|
”
|
૧૦ વખત પઢો
|
બીજા સિજદહની તસ્બીહ પછી
|
”
|
૧૦ વખત પઢો
|
બંને સિજદાઓ વચ્ચે (જલ્સામાં)
|
”
|
૧૦ વખત પઢો
|
આ જ રીતે ત્રીજી અને ચોથી રકા’તમાં પઢો, એટલે કે ચાર રકા’તોમાં થઈને કુલ ૩૦૦ વખત ઉપરોકત તસ્બીહ થશે.
Log in or Register to save this content for later.