Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 258-259)
હજ્જની વાતો દરેક સાથે ન કરવી જોઈએ
હજ્જનું વર્ણન દરેકના સામે ના કરવું જોઈએ, કેમકે એમાં ખતરો છે કે ફખર પૈદા થઈ જાય અને રિયા તથા ફખરના તૌર પર બયાન કરવું ઘણી બૂરી વાત છે. અમુક સુફિયાએ કિરામ (રહ.) તો અમુક એવા તઝકિરહ (વર્ણન)થી પણ મના ફરમાવે છે કે જેમાં ઈતાઅત માલૂમ પડતી હોય. જેમકે ત્યાંની સારી વસ્તુઓ અને ફઝીલતોનું બયાન કરવું, કે જેનાથી ત્યાં જવાનો શોખ અને રગબત પૈદા થાય.
આ સુફયાએ કિરામ (રહ.)નું કહેવું છે, કે લોકો ત્રણ જાતના છે, (૧) એકતો તે, કે જેમના ઉપર હજ્જ ફર્ઝ છે, તેમની સામે તો રગબતની વાતો કરવી જાઈઝ બલ્કે મુસ્તહબ છે.(ર) બીજા તે લોકો, કે જેમના ઉપર હજ્જ ફર્ઝ તો નથી, પરંતુ તેમના અંદર હજ્જ કરવાની તાકત છે, ગુંજાઈશ છે અને તેઓના માટે હજ્જમાં જવું મના પણ નથી. તેમની સામે પણ રગબતની વાતો કરવી જાઈઝ છે. (૩) અને ત્રીજા તે લોકો, કે જેમના ઉપર હજ્જ ફર્ઝ નથી, અને તેઓ માટે હજ્જમાં જવું મના છે. આ તે લોકો છે કે જેમની માલી તાકત નથી અને મુસીબતો ઉપર સબ્ર પણ નથી કરી શકતા, આવા લોકોની સામે આવા કિસ્સા બયાન કરવાથી તેઓમાં હજ્જનો શોખ પૈદા થાય છે અને ગુંજાઈશ ના હોવાના કારણે, હજ્જમાં ના જઈ શકવાથી પરેશાનીમાં મુબ્તલા થાય છે.
Log in or Register to save this content for later.