હજ્જની એડવરટાઈઝ ના કરવી જોઈએ !

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 258)

હજ્જની એડવરટાઈઝ ના કરવી જોઈએ !

                હજ્જનો સફર શરૂ કરતાં પહેલા,નિય્યત ખાલિસ કરવી જોઈએ ખ્યાતિ પામવા, કે પોતાને હાજી કહેવામાં આવશે એ નિય્યતથી હજ્જ ના કરવામાં આવે, નહિ તો સવાબ નહિ મળે. એવી જ રીતે હજ્જથી પાછા ફરીને જયાં બેસો ત્યાં હજ્જની જ વાતો કરો અને ત્યાંના જ કિસ્સા અને કહાનીઓ બયાન કરતા ફરો, કે જેમાં લોકોને તમારું હાજી હોવું, બતાવવું મકસૂદ હોય, કોઈ વખત પોતાની હજ્જનો ખર્ચ બયાન કરો છો તો કોઈ વખત, સદકહ ખૈરાતની વાતો કરો છો તો આ સહીહ નથી. આવી વાતો સવાબ ખોવાવાળી છે. હા, કોઈ ખાસ મસ્લિહત હોય તો બયાન કરી શકો છો, પરંતુ જરૂરત વગર અને ફાયદા વગર તકબ્બુર (મોટાઈ)ની રૂએ  બયાન કરવું  ગુનાહનું કામ છે.

Log in or Register to save this content for later.