હજ્જના સફરની તકલીફો બયાન કરવી

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ" Make primary

(Page : 259-260)

હજ્જના સફરની તકલીફો બયાન કરવી

                અમુક લોકો હજ્જની તકલીફો લોકોની સામે બયાન કરે છે, આવું ના કરવું જોઈએ. ચાહે ગમે તે તકલીફ પડી હોય. કારણ કે આવા વાકિઅહ બયાન કરવાથી  ઘણા લોકો હજ્જ માટે જવાથી અટકી જાય છે. એનો ગુનોહ તે લોકોને થશે, જેમણે આવા કિસ્સા બયાન કરીને તેમને ડરાવ્યા છે.

                વળી કેટલાકની તો આદત હોય છે કે હદથી વધીને, મુબાલગહથી બયાન કરે છે, જે મોટા ગુનાહનું કામ છે.

                હજ્જની સફર એક લાંબી સફર છે, કે જેમાં રેલગાડી, બસ તથા હવાઈ જહાઝમાં સવાર થવું પડે છે. દેશ બીજો, ભાષા બીજી વગેરે કારણસર કોઈ  તકલીફ કદાચ પહોંચે, તો એ કોઈ મોટી વાત નથી. આપણે આપણા દેશમાં જ સફર કરીએ છીએ અને સફર ટૂંકો હોય છે, છતાં સફરમાં ઘણી પરેશાનીઓ ઊભી થાય છે, તો હજ્જ જેવી મોટી નેઅમત હાસિલ કરવા અને તે પણ આટલા લાંબા સફરમાં કદાચ કોઈ તકલીફ પહોંચે, તો તે ન પહોંચવા બરાબર છે અને વળી અલ્લાહના ત્યાં, આ તકલીફો બદલ સવાબ પણ મળે છે. વળી ત્યાં હાજીઓ કેટલીક તકલીફો તો હાથે કરીને જ ઊભી કરતાં હોય છે.

                અને અલ્લાહના ફઝલો કરમથી ”સઊદી હુકૂમતે” હાજીઓ માટે એટલી બધી રાહતો ઊભી કરી છે, કે કદાચ જ આપને કોઈ તકલીફ પહોંચે.અલ્લાહ તઆલા બધા હાજીઓ તરફથી તેમને બેહતરીન બદલો ઈનાયત કરે. આમીન

Log in or Register to save this content for later.