મદીનહ મુનવ્વરહની તે મુબારક જગ્યાઓ,   જેની ઝિયારત કરવી જોઈએ

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 239 to 252)

મદીનહ મુનવ્વરહની તે મુબારક જગ્યાઓ,   જેની ઝિયારત કરવી જોઈએ

જન્‍નતુલ બકીઅ :

                આ ”મદીનહ મુનવ્વરહ”નું કબ્રસ્તાન છે, અને ”જન્‍નતુલ  બકીઅ”ના નામથી મશ્હૂર છે.

એને ”બકીઉલ ગરકદ” પણ કહેવામાં આવે છે, અહીંયા ગરકદ (બાવળ)ના ઊંચા ઊંચા ઝાડો હતા, તે ઝાડોને કાપીને કબ્રસ્તાન બનાવવામાં આવ્યું હતું.

ઈબ્ને કઅબ કુરઝી (રદિ.)થી મરફૂઅન રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : જે માણસ અમારા આ કબ્રસ્તાનમાં દફન થશે, અમો તેના માટે સિફારિશ કરીશું, રિવાયત બયાન કરનાર કહે છે (અથવા આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું) અમો તેના માટે ગવાહી આપીશું.

સૌથી પહેલાં બકીઅમાં હઝરત ઉસ્માન ઇબ્ને મઝઊન દફન કરવામાં આવ્યા. ત્યાર પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સાહબઝાદા હઝરત ઇબ્રાહીમનો ઈન્તિકાલ થયો તો સહાબએ કિરામ (રદિ.)એ પુછયું, અમો તેમની કબર કયાં બનાવીએં ? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : આગળ ગયેલા ઉસ્માન ઇબ્ને મઝઊનની કબ્રના પાસે. (ખુલાસતુલ વફાઅ્‌, રજ્૩૬૪)

મદીનહ મુનવ્વરહમાં મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને રવઝએ મુકદ્દસહ પછી સૌથી અહમ જગા અહિંયાનું આ જૂનુ કબ્રસ્તાન છે, જે હરમે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પ/૧૦ મિનિટના અંતરે છે.

ફજરની તેમજ અસરની નમાઝ પછી જન્‍નતુલ બકીઅનો દરવાઝો ખોલવામાં આવે છે.

ઝમીનનો આ ટુકડો કેટલો ખૂશનસીબ છે, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાના હાથ મુબારકથી અહીંયા ઘણાને દફન કર્યા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નીચે દર્શાવેલ અઝવાજે મુતહહરાત (પુનિત પત્નિઓ) તેમાં આરામ ફરમાવી રહી છે :

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત આઈશહ (રદિયલ્લાહુ અન્હા)

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત હફસહ (રદિયલ્લાહુ અન્હા)

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત સવદહ (રદિયલ્લાહુ અન્હા)

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત ઝૈનબ બિન્તે ખુઝૈમહ (રદિયલ્લાહુ અન્હા)

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત ઉમ્મે સલમહ (રદિયલ્લાહુ અન્હા)

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત  ઝૈનબ બિન્તે જહશ (રદિયલ્લાહુ અન્હા)

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત જુવૈરિય્યહ (રદિયલ્લાહુ અન્હા)

ઉમ્મુલ મુઅ્‌મિનીન હઝરત  સફિય્યહ (રદિયલ્લાહુ અન્હા)

અઝવાજે મુતહહરાતમાંથી ઉમ્મુલ મુઅ્‌મિનીન ”હઝરત ખદીજતુલ કુબરા” (રદિયલ્લાહુ અન્હા) મકકહ મુઅઝઝમહના કબ્રસ્તાન ”જન્‍નતુલ મુઅલ્લા”માં આરામ ફરમાવી રહયા છે અને ઉમ્મુલ મુઅ્‌મિનીન ”હઝરત  મયમૂનહ” (રદિયલ્લાહુ અન્હા)નો મઝાર ”મકકહ મુકર્રમહ”થી લગભગ ૬ માઈલ દૂર એક જગા ”સરિફ” માં, ”વાદિએ ફાતિરહ”ના નઝદીક, પાકી સડકના ડાબી બાજુ ૧પ થી ર૦ કદમ ઉપર પહાડની પાસે છે.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નીચે પ્રમાણેની અવલાદો   પણ ”જન્‍નતુલ બકીઅ”માં   આરામ ફરમાવી રહી છે:

હઝરત ફાતિમતુઝઝહરાઅ્‌ (રદિયલ્લાહુ અન્હા)

હઝરત  રૂકય્યહ (રદિયલ્લાહુ અન્હા)

હઝરત જૈનબ (રદિયલ્લાહુ અન્હા)

હઝરત  ઉમ્મે કુલસૂમ (રદિયલ્લાહુ અન્હા)

હઝરત  ઇબ્રાહીમ (રદિયલ્લાહુ અન્હુ)

આ સિવાય ”જન્‍નતુલ બકીઅ”માં હઝરત ઉસ્માન (રદિ.), હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ (રદિ.), મતલબકે નબુવ્વતના ઘરાનાના મુમતાઝ માણસો અને જલીલુલ કદ્ર સહાબએ કિરામ (રદિ.)(દસહઝારથી વધુ) ગણી ના શકાય એટલા તાબઈન, તબ્એ તાબઈન અને બેશુમાર મોટા મોટા ઈમામો, અવલિયાએ કિરામ આ કબ્રસ્તાનમાં મદફૂન છે.

જો તમો સીરતે નબવી  (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), સહાબએ કિરામ (રદિ.)ના અહવાલ તથા દરજાઓથી વાકિફ હશો, તો આપને ત્યાં ખરો એહસાસ થશે. ડગલે ને પગલે આપ ઉભા રહી જશો, આ મુબારક કબોરોની માટીના પ્રત્યેક ઢગલા પર આપમેળે જ દડ દડ આપની આંખોમાંથી આંસુઓ ટપકી જશે., અહિના ખૂણે ખૂણાથી ઈમાન, જિહાદ અને ઈશ્કો મુહબ્બતની તારીખ લખાયેલી છે.એક એક ઢગલા નીચે ઇસ્લામનો ખઝાનો દફન કરવામાં આવ્યો છે. કોઈએ સાચુ જ કહયું છે :

” દફન હોગા ન કહીં ઐસા ખજાના હરગિઝ”

એક હદીસમાં છે, કે કિયામતના દિવસે આ કબ્રસ્તાનથી ૭૦૦૦૦ (સીત્તેર હઝાર) એવા માણસો ઉઠશે, જેમના ચહેરા ચૌદમી રાતના ચાંદ જેવા હશે અને તેઓને હિસાબ કિતાબ વગર જન્‍નતમાં દાખલ કરી આપવામાં આવશે.

કિયામતના દિવસે સૌથી પહેલા ”જન્‍નતુલ બકીઅ” વાળાઓ ઉઠાવવામાં આવશે.

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) રાતના ટાઈમે આ કબ્રસ્તાન તશરીફ લઈ જતા હતા. એટલા માટે દરેક હાજીએ જયાં સુધી મદીનહ મુનવ્વરહમાં રહે, દરરોજ અથવા જુમ્અહના દિવસે ”જન્‍નતુલ બકીઅ” જવું જોઈએ અને તેઓના માટે, અલ્લાહ તઆલાથી મગફિરત,રહમત અને દરજાતની બુલંદી માટે દુઆઓ કરવી જોઈએ.

જન્‍નતુલ બકીઅ વાળાઓ ઉપર સલામ આ પ્રમાણે પઢવી:

 اَلسَّلامُ عَلَیْکُمْ، دَارَ قَوْمٍ مُّؤْمِنِیْنَ، فَاِنَّا اِنْشَائَ اللّٰہُ بِکُمْ  لاحِقُوْنَ، اَنْتُمْ سَلَفُنَا وَ نَحْنُ بِالْاَثَرِ، اَللّٰھُمَّ اغْفِرْ لِاَھْلِ الْبَقِیْعِ۔ اَللّٰھُمَّ اغْفِرْلَنَا وَ لَھُمْ وَ یَرْحَمُ اللّٰہُ الْمُسْتَقْدِمِیْنَ مِنْکُمْ وَ الْمُسْتَاخِرِیْنَ۔

                ”અસ્સલામુ અલયકુમ  દાર કવમિમ મુઅ્‌મિનીન, ફઇન્‍ના ઇન્શાઅલ્લાહુ બિકુમ લાહિકૂન, અન્તુમ સલફુના વ નહ્‌નુ બિલ અષ્રિ અલ્લાહુમ્મ ગ્ફિર લિઅહ્‌લિલ બકીઅ, અલ્લાહુમ્મ ગ્ફિર લના વ લહુમ વ યર્‌હમુલ્લાહુલ મુસ્તક્‌દિમીન મિન્કુમ વલ મુસ્તઅ્‌ખિરીન.”

(અય ઈમાનવાળી કૌમ ! તમારા ઉપર સલામ થાય, બેશક અમો ઇન્શાઅલ્લાહ તમોને મળીશું. તમો પહેલા પહોંચી ગયા, અમો તમારા પછી આવી રહયા છીએ.અય અલ્લાહ, બકીઅવાળાઓની મગફિરત ફરમાવો, અય અલ્લાહ અમારી અને એમની મગફિરત ફરમાવો. અને અલ્લાહ તઆલા રહમ ફરમાવે તમારા બધા ઉપર કે જેઓ પહેલા જઈ ચુકયા છે અને તેમના ઉપર જેઓ પાછળથી આવી રહયા છે.)

સાથે સાથે પોતાના માટે પણ દુઆ કરો, કે અય અલ્લાહ, અહીંયા તારા આ વફાદાર અને નેક બંદાઓ સુતેલા છે, એમની જે વાતોથી તમો રાજી હતા, એનો કોઈ ભાગ મને પણ અતા ફરમાવો. અય અલ્લાહ, જો કે મારા અમલ તેમના જેવા નથી, પણ તારા એ નેક બંદાઓથી મને મુહબ્બત છે. બસ આ મુહબ્બતની બરકતથી તમો મને એમની સાથે શામિલ ફરમાવો. આમીન !

وَ الْحِقْنِی بِالصَّالِحِیْن

વલ હિકની બિસ્સાલિહીન

(અને મને નેક બંદાઓ સાથે શામિલ ફરમાવો.)

સય્યિદના જુન્‍નરયન (હઝરત ઉસ્માન રદિ.) ઉપર સલામ :

જન્ન્તુલ બકીઅમાં હઝરત ઉસ્માન (રદિ.) (કે જેઓ ત્રીજા ખલીફહ છે.)ની કબર ઉપર આ પ્રમાણે સલામ પેશ કરો :

اَلسَّلامُ عَلَیْکَ یَا اِمَاَم الْمُسْلِمِیْنَ

اَلسَّلامُ عَلَیْکَ یَا ثَالِثَ الْخُلَفَائِ الرَّاشِدِیْنَ

اَلسَّلامُ عَلَیْکَ یَا ذَا النُّوْرَیْنِ

اَلسَّلامُ عَلَیْکَ یَا مُجَھِّزَ جَیْشِ الْعُسْرَۃِ بِالنَّقْدِ وَ الْعَیْنِ

اَلسَّلامُ عَلَیْکَ یَا صَاحِبَ الھِجْرَتَیْنِ

اَلسَّلامُ عَلَیْکَ یَا جَامِعَ الْقُرْآنِ بَیْنَ الدَّفَّتَیْنِ

اَلسَّلامُ عَلَیْکَ یَا صَبُوْراً عَلی الْاَکْدَارِ

اَلسَّلامُ عَلَیْکَ یَا شَھِیْدَ الدَّارِ ،

اَلسَّلامُ عَلَیْک وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ

અસ્સલામુ અલયક યા ઈમામલ મુસ્લિમીન

અસ્સલામુ અલયક યા સાલિસલ ખુલફાઈ ર્રાશિદીન

અસ્સલામુ અલયક યા ઝન્‍નૂરય્‌ન

અસ્સલામુ અલયક યા મુજહિહઝ જયશલ ઉસ્રતિ બિન્‍નકદિ વલ અયનિ

અસ્સલામુ અલયક યા સાહિબલ હિજ્‌રતય્‌ન

અસ્સલામુ અલયક યા જામિઅલ કુર્આને બય્‌નદ દફફતય્‌ન

અસ્સલામુ અલયક યા સબૂરન અલલ અકદારિ

અસ્સલામુ અલયક યા શહીદદ દારિ

અસ્સલામુ અલયક વ રહમતુલ્લાહિ વ બરકાતુહૂ

અય મુસલમાનોના ઈમામ ! તમારા ઉપર સલામ

અય ખુલફાએ રાશિદીનમાંથી ત્રીજા ખલીફહ ! તમારા ઉપર સલામ

અય ડબલ નૂર વાળા ! તમારા ઉપર સલામ

અય પૈસા અને સામાનથી જયશલ ઉસરતને રવાના કરનાર! તમારા ઉપર સલામ

અય ડબલ હિજરતવાળા તમારા ઉપર સલામ

બે પુઠ્‍ઠાઓના દરમિયાન કુર્આન ભેગું કરનાર, તમારા ઉપર સલામ

અય મુસીબતો ઉપર સબ્ર કરનાર ! તમારા ઉપર સલામ

અય ઘરના શહીદ, તમારા ઉપર સલામ

તમારા ઉપર સલામ અને અલ્લાહની રહમત અને બરકતો નાઝિલ થાય.

થોડીકવાર માટે થોભી જઈને પૂરા ”જન્‍નતુલ બકીઅ” ઉપર ઈબરત અને વિચારની નઝર નાખશો, અલ્લાહુ અકબર ! કેટલા સાચા હતા આ અલ્લાહના બંદાઓ, જે કહેતા હતા, તે જ કરી બતાવ્યું :

رِجَالٌ صَدَقُوْا مَاعَاھَدُوْا اللّٰہَ عَلَیْہِ

                મકકહ મુકર્રમહમાં, જેમના હાથમાં હાથ આપ્યો હતો, મદીનહ મુનવ્વરહમાં તેમના જ કદમોમાં પડેલા છે.

”જો તુજ બિન, ન જીને કો કેહતે થે હમ

તો ઉસ અહ્‌દ કો હમ વફા કર ચલે”

જન્‍નતુલ બકીઅ”માં થી જ ”ગુંબદે ખદ્‌રા” ઉપર એક નઝર નાખોં અને મદીનહના આ ખામોશ શહેરને જુઓ, સચ્ચાઈ અને ઈખ્લાસ, ઈસ્તિકામત અને વફાદારીની આનાથી વધારે રોશન કઈ દલીલ હોઈ શકે છે?

આવો ”જન્‍નતુલ બકીઅ”માં ઇસ્લામની ખિદમત કરવાનો અહદ કરીએ અને અલ્લાહથી દુઆ કરીએ કે તે આપણને ઇસ્લામના રસ્તા ઉપર જીવાડે અને ઇસ્લામની વફાદારી સાથે જ મૌત અતા ફરમાવે. ”જન્‍નતુલ બકીઅ”નો આ જ પૈગામ અને આ જ સબક છે.

”મદીના મુનવ્વરહ” માં ”મસ્જિદે નબવી” (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સિવાય બીજી ઘણી મસ્જિદો છે, જયાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તથા સહાબએ કિરામ (રદિ.)એ નમાઝો પઢી છે. આ મસ્જિદોમાંથી ઘણી મસ્જિદો અત્યારે આબાદ છે. અને ઘણી વેરાન પણ થઈ ગઈ છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં બંધાયેલ કોઈ જ મસ્જિદ અત્યારે પોતાની અસલી હાલત ઉપર નથી. બધી નવેસરથી બનાવવામાં આવેલી છે, પણ જગા તો તે જ છે, એટલે બરકત અને રહમતથી સહેજ પણ ખાલી નથી, એટલે આ મસ્જિદોની ઝિયારત કરવી પણ મુસ્તહબ છે. મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પાસેથી ભાડાની ટેક્ષીઓ મળે છે જે દરેક જગાએ લઈ જાય છે  અને ઝિયારત કરાવે છે.

મસ્જિદે કુબા:

મુસલમાનોની આ સૌથી પહેલી મસ્જિદ છે, જેનું વર્ણન કુર્આશરીફ માં છે :

لَمَسْجِدٌ اُسِّسَ عَلَی التَّقْوٰی مِنْ اَوَّلِ یَوْمٍ

                અને જેમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને નમાઝ પઢવાની તરગીબ આપવામાં આવી હતી. હિજરતના મૌકા ઉપર, જયારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કુબા પહોંચ્યા, તો આ જગાએ ચાર દિવસનો (એટલે કે સોમવારથી શુક્રવાર સુધીનો) કિયામ હતો.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સહી સલામત ૧ર રબીઉલ અવ્વલ, મુતાબિક ર૪ સપ્ટેમ્બર ૬રર, ઈસ્વીના સોમવારના દિવસે કુબા પહોંચી ગયા હતા અને આ જ વાકિઆથી ઇસ્લામી કેલેન્ડર અને ઇસ્લામી તારીખની શરૂઆત થાય છે.

અને આ જગાએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાના હાથ મુબારકથી આ મસ્જિદનો પાયો નાખ્યો હતો અને સહાબએ કિરામ (રદિ.)ની સાથે સાથે પોતે પણ મસ્જિદની તઅ્‌મીરમાં ભાગ લીધો હતો.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓને ફરમાવ્યું, કે ત્યાંથી પથ્થર લાવીને મારી પાસે ભેગા કરો, જેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પાસે પથ્થર ભેગા કરવામાં આવ્યા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક હાથમાં એક નાનો નેઝો (બરછી) હતો, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેના વડે ઝમીન ઉપર નિશાનિઓ કરીને, કિબ્લહ સાઈટ નકકી કરી અને પોતાના હાથમુબારકથી એક પથ્થર ઉઠાવીને પાયા ઉપર મુકયો, ત્યાર પછી હઝરત અબૂબક્ર (રદિ.)ને ફરમાવ્યું કે એક પથ્થર લઈને, મારા પથ્થરની પાસે ગોઠવો, પછી હઝરત ઉમર (રદિ.)ને ફરમાવ્યું, કે તમો એક પથ્થર લઈને હઝરત અબૂબક્ર (રદિ.)ના પથ્થર પાસે મુકો, ત્યાર પછી હઝરત ઉસ્માન (રદિ.)ને ફરમાવ્યું કે એક પથ્થર લઈને હઝરત ઉમર (રદિ.)ના પથ્થર પાસે ગોઠવો, પછી ત્યાં હાજર તમામ સહાબએ કિરામ (રદિ.)ને ફરમાવ્યું કે આ નિશાનીઓમાં તમો જયાં ચાહો પથ્થર મુકો. આવી રીતે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.)એ આ મસ્જિદનું બાંધકામ કર્યું.

ઇસ્લામી તારીખની સૌથી પહેલી મસ્જિદ હોવાનું સદ્‌ભાગ્ય આ  જ મસ્જિદને પ્રાપ્ત છે.

મસ્જિદે હરામ, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને મસ્જિદે અકસા પછી, સૌથી અફઝલ આ મસ્જિદ છે.

આ મસ્જિદમાં બે રકા’ત નમાઝ પઢવાનો સવાબ  એક ઉમરહ બરાબર છે.

ان صلوۃ رکعتین فیہ کعمرۃ

                મસ્જિદે કુબાના મેહરાબ ઉપર આ હદીસ લખેલી છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) શનિવારના આ મસ્જિદમાં તશરીફ લઈ જતા હતા.

આવો, તમો પણ તે ઝમીન ઉપર પોતાની પેશાની મુકો જે જગા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને કુર્આનના શબ્દો માં

فِیْہٖ رِجَالٌ یُحِبُّوْنَ اَنْ یَّتَطَھَّرُوْا

                (પાકીને પસંદ કરતા લોકો)ના પવિત્ર કદમોથી સુવાસિત થઈ છે અને એવા હવામાનમાં સાંસ લો, કે જયાં અન્ફાસે કુદસીયહ હજુ પણ વસેલા છે.

નોટ :– ઓરતો માટે વુઝૂ કરવાની અને નમાઝ પઢવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

મસ્જિદે જુમ્અહ :

”મસ્જિદે કુબા”થી થોડાક અંતરે, ”મદીનહ મુનવ્વરહ”ના રસ્તામાં ”બનૂ સાલિમ” કુટુંબ આબાદ હતું. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હિજરતના મૌકા ઉપર, ”કુબા”ની વસ્તીથી ”મદીનહ મુનવ્વરહ” જે દિવસ રવાના થયા, તે જુમ્અહનો દિવસ હતો, અને કબીલએ ”બનૂ સાલિમ ઈબ્ને અવ્‌ફ”માં પહોચ્યા ત્યારે, જુમ્અહનો ટાઈમ થઈ ગયો, તે જ જગાએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જુમ્અહની નમાઝ પઢાવી હતી. ”મદીનહ મુનવ્વરહ”માં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની આ પહેલ વહેલી જુમ્અહ હતી. અત્યારે અહીંયાં એક મસ્જિદ બનાવવામાં આવી છે. કુબાની મસ્જિદથી પાછા ફરતાં, એક માઈલ પછી ડાબી બાજુ એક સડક જાય છે, તે સડક ઉપર જમણા હાથે આ મસ્જિદ છે.

મસ્જિદે કિબ્લતૈન :

હિજરત પછી ૧૬/૧૭ મહીના સુધી મુસલમાનોનો કિબ્લહ ”બયતુલ મકદિસ” રહયું. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની દિલી તમન્‍ના હતી, કે મુસલમાનોનો કિબ્લહ ”બયતુલ્લાહ” થઈ જાય. અને આ તમન્‍ના અને ઉમ્મીદમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) વારંવાર આસ્માન તરફ વહીના ઈન્તેઝાર માં જોતા હતા, એક દિવસ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ જગા ઉપર ઝુહર અથવા અસરની નમાઝ પઢાવી રહયા હતા અને હજુ તો બે જ રકા’ત થઈ હતી કે નમાઝની હાલતમાં જ અલ્લાહ તઆલા તરફથી આયત નાઝિલ થઈ :

قَدْ نَرَیٰ تَقَلُّبَ وَجْھِکَ فِی السَّمَائِ فَلَنُوَلِّیَنَّکَ قِبْلَۃً تَرْضٰھَا فَوَلِّ وَجْھَکَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ وَ حَیْثُ مَا کُنْتُمْ فَوَلُّواْ وُجُوھَکُمْ شَطْرَہُ۔

                જેનો અર્થ આ છે કે ”તમારા મોંનું આસમાન તરફ વારંવાર થવું અમો જોઈ રહયા હતા, અમો તમારુ તે જ કિબ્લહ તરફ મોં ફેરવી આપીયે છીએ, જેને તમો પસંદ કરો છો. હવે મસ્જિદે હરામ તરફ મોઢું ફેરવી આપો, અને તમે જયાં પણ હોય, તેના તરફ રૂખ કરીને જ નમાઝ પઢશો.”

ઉપરોકત હુકમ મળતાં જ, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ચાલુ નમાઝમાં જ બયતુલ્લાહ તરફ ઘૂમી ગયા, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ફરમાબરદારીમાં, બધા જ મુકતદીઓ પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પાછળ થઈ ગયા અને આ રીતે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પહેલી બે રકા’ત ”બયતુલ મુકદ્દસ” તરફ અને બાકીની  બે રકા’ત ”બયતુલ્લાહ” તરફ મોં કરીને પઢાવી,એટલા માટે આ મસ્જિદને ”મસ્જિદે કિબ્લતૈન” એટલે કે બે કિબ્લાવાળી મસ્જિદ કહેવામાં આવે છે. આ મસ્જિદમાં બંને તરફ મેહરાબ છે.

હવે બયતુલ મકદિસ તરફ મોં કરી નમાઝ પઢવી હરામ છે.

મસ્જિદે ગમામહ :

આ મસ્જિદને ”મસ્જિદે મુસલ્લા” પણ કહેવામાં આવે છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અહીંયા બંને ઈદોની નમાઝો પઢાવી છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અહીંયાં ઈસ્તિસ્કા (વરસાદ માંગવાની નમાઝ) પણ પઢાવી છે, નમાઝ પઢતાં જ વાદળો આવ્યા હતા, અને વરસાદ થયો હતો. એટલા માટે એને મસ્જિદે ગમામહ (વાદળ) કહેવામાં આવે છે.

આ મસ્જિદની સામે ગુનેહગારોને ઇસ્લામી સઝા કરવામાં આવે છે.

મસ્જિદે ફત્‌હ :

મુસલમાનોને ખતમ કરી નાખવાના ઈરાદાથી મુશ્‍રીકો અને મુનાફિકોનું એક મોટું લશ્કર મદીનહ મુનવ્વરહ માટે રવાના થયું, આ ખબર મળતાં જ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ સહાબએ કિરામ (રદિ.)થી મશ્‍વેરો કર્યો, હઝરત સલમાન ફારસી (રદિ.)ના મશ્‍વેરા પ્રમાણે, મદીનહ મુનવ્વરહના ચારેવ બાજુ, ”ખન્દક” (ખાઈ) ખોદવામાં આવી, જેના કારણે ઇસ્લામના દુશ્મનો મદીનહ મુનવ્વરહમાં દાખલ ના થઈ શકયા અને દુશ્મનોએ મદીનહ શહેરનો ઘેરાવો કરી લીધો. આ મસ્જિદે ફત્‌હ જયાં છે ત્યાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ સોમ, મંગળ અને બુધ એમ ત્રણ દિવસ અલ્લાહ તઆલાથી દુઆ માંગી હતી, જે કબૂલ થઈ અને એવી સખ્ત આંધી આવી, કે તેનાથી દુશ્મનો નાસી છુટવા ઉપર મજબૂર થયા અને મુસલમાનોની જીત થઈ. આ મસ્જિદની નઝદીકમાં જ ”મસ્જિદે અબૂ બક્‌ર”, ”મસ્જિદે ઉમર”, ”મસ્જિદે અલી”, અને ”મસ્જિદે સલમાન ફારસી”ના નામથી, કિબ્લા તરફ, બીજી ચાર નાની મસ્જિદો છે, જેને ”મસાજિદે ખમ્સહ”ના નામથી ઓળખવામાં આવે છે. દરેક મસ્જિદમાં બે બે રકા’ત નમાઝ પઢો અને દુઆ કરો.

હઝરત જાબિર (રદિ.) કહે છે, કે જયારે પણ મને કોઈ ખાસ જરૂરત પેશ આવી અને મેં મસ્જિદે ફત્‌હ જઈને દુઆ કરી, તો મારી દુઆ કબૂલ કરવામાં આવી.

મસ્જિદે ઈજાબહ :

આ મસ્જિદ ”બકીઅ” કબ્રસ્તાનથી ઉત્તર દિશાએ છે. આ જગાએ બનૂ મુઆવિયહ બિન માલિક ઈબ્ને ઔફ રહેતા હતા. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એક દિવસ આ જગાએ તશરીફ લઈ ગયા અને નમાઝ પઢીને ઘણીવાર દુઆ કરતા રહયા, ત્યાર પછી ફરમાવ્યું, કે મેં મારા રબથી ત્રણ દુઆઓ માંગી, (૧) મારી ઉમ્મતને દુષ્કાળના અઝાબથી સંપુર્ણ તબાહ ન ફરમાવે (ર) મારી ઉમ્મતને સર્વત્ર ડૂબવાના અઝાબથી હલાક ન ફરમાવે (૩) આપસમાં લડાઈ ઝઘડા, કુસંપ તથા ફાટ ફૂટ મારી ઉમ્મતમાં ના થાય.

આમાંથી બે દુઆઓ કબૂલ થઈ અને ત્રીજી દુઆ કબૂલ ના થઈ. આ મસ્જિદમાં જયાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ નમાઝ પઢી હતી, તે જગા મસ્જિદના મેહરાબથી જમણી બાજૂ બે હાથ હટીને છે.

જબલે ઉહદ :     ”મદીનહ મુનવ્વરહ”થી ઉત્તર દિશાએ, લગભગ ૪ માઈલ દૂર એક પહાડ છે, જેને ”જબલે ઉહદ”ના નામથી ઓળખવામાં આવે છે.(આ પહાડ પૂર્વ પશ્ચિમમાં ચાર માઈલ  સુધી ફેલાયેલો છે.) આ પહાડ વિશે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે ”ઉહદ અમારાથી મુહબ્બત કરે છે અને અમો ઉહદથી મુહબ્બત કરીએ છીએ.” આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અહીંયા તશરીફ લાવતા હતા અને ઉહદવાળાઓને સલામ અને દુઆથી નવાઝતા હતા.

સન હિજરી ૩ માં ઉહદની મશ્હૂર લડાઈ આ જ પહાડની પાસે લડવામાં આવી હતી, જેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પણ ઝખ્મી થયા હતા.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકા, (બધા શહીદોના સરદાર) હઝરત હમઝહ (રદિ.) અને બીજા ૭૦ સહાબએ કિરામ (રદિ.) (જેમાં હઝરત મુસ્અબ ઈબ્ને ઉમૈર (રદિ.), હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને જહ્‌શ (રદિ.) પણ શામિલ છે.) વગેરેએ  ઇસ્લામ ખાતર શહાદત વહોરી હતી. આ બધાની કબરો ત્યાં જ છે અને એક એક કબરમાં કેટલાય  માણસોને દફન કરવામાં આવ્યા હતા.

અહીંયાં દફન કરાયેલા અમૂક શહીદોના નામ આ પ્રમાણે છે :

(૧)હઝરત હમ્ઝહ (રદિ.) (ર) હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને જહ્‌શ (રદિ.) (૩) મુસ્અબ ઈબ્ને ઉમૈર (રદિ.) ઠ્ઠ અમુક રિવાયતો પ્રમાણે આ ત્રણેવ હઝરાત એક જ કબ્રમાં દફન કરવામાં આવ્યા છે, પરંતુ બીજી રિવાયતોથી માલૂમ પડે છે કે હઝરત હમ્ઝહ (રદિ.) એક કબ્રમાં એકલા દફન કરવામાં આવ્યા છે અને હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને જહશ (રદિ.) તથા મુસ્અબ ઈબ્ને ઝુબૈર (રદિ.) એક કબ્રમાં દફન કરવામાં આવ્યા છે. (૪) સહલ બિન કયસ (રદિ.) એમની કબ્ર હઝરત હમ્ઝહ (રદિ.)ની કબ્રના પાછળ, શામ તરફ છે. (પ) ઉમર બિન જુમૂહ (રદિ.) (૬) અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદિ.) (૭) ખારિજહ ઇબ્ને ઝૈદ (રદિ.) (૮) સઅદ્‌ ઈબ્ને રબીઅ (રદિ.) (૯)અબ્દુલ્લાહ હસ્હાસ (રદિ.)(૧૦) નુઅમાન ઈબ્ને માલિક (રદિ.) (૧૧) અબૂ અયમન (રદિ.) (૧ર)ખલ્લાદ બિન અમર બિન જુમૂહ (રદિ.). આ આઠેવ સહાબીઓ એક જ કબ્રમાં દફન કરવામાં આવ્યા છે. બાકીના શહીદોની કબ્રની નિશાનીઓ બાકી રહી નથી, એવું માલૂમ પડે છે કે, તેઓની કબ્રો હઝરત હમ્ઝહ (રદિ.)ની કબ્રના આસપાસ જ હશે. અમુક શુહદાએ ઉહદની કબ્રો મદીનહ મુનવ્વરહમાં છે. (ખુલાસતુલ વફા, રજ્૪૧૩)

એક વખત તો અહીંયા જરૂર જાઓ, ત્યાંના ઝાડના પાંદડા ચાવો અને ઉહદના શહીદોને સલામ પહોચાડો અને રાહત, મગફિરત, અને દરજાઓ બુલંદ થવાની દુઆ કરો.

હઝરત હમઝહ (રદિ.) અને બીજા શહીદોને નીચે પ્રમાણે સલામ પૈશ કરો :

اَلسَّلامُ عَلَیْکَ یَا سَیِّدَنَا حَمْزَۃَ بْنِ عَبْدِ الْمُطَّلِبِ

اَلسَّلامُ عَلَیْکَ یَا  عَمَّ رَسُوْلِ اللّٰہِ ﷺ

اَلسَّلامُ عَلَیْکَ یَا  عَمَّ نَبِیِّ اللّٰہِ ﷺ

اَلسَّلامُ عَلَیْکَ یَا عَمَّ حَبِیْبِ اللّٰہِ ﷺ

اَلسَّلامُ عَلَیْکَ یَا  عَمَّ الْمُصْطَفٰی ﷺ

اَلسَّلامُ عَلَیْکَ یَا سَیِّدَ الشُّھْدَائِ

اَلسَّلامُ عَلَیْکَ یَا اَسَدَ اللّٰہِ وَ اَسَدَ رَسُوْلِہٖ

اَلسَّلامُ عَلَیْکُمْ یَا شُھَدَائِ، یَا سُعَدآئَ

اَلسَّلامُ عَلَیْکُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبَی الدَّارِ

اَلسَّلامُ عَلَیْکُمْ یَا شُھَدَائَ اُحَدٍ کٓافَّۃً، عَآمَّۃً وَّ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ

અસ્સલામુ અલયક યા સય્યિદિના હમ્ઝહ ઈબ્ને અબ્દુલ મુત્તલિબ

અસ્સલામુ અલયક યા અમ્મ રસૂલિલ્લાહિ (સલ.)

અસ્સલામુ અલયક યા અમ્મ નબિય્યીલ્લાહિ (સલ.)

અસ્સલામુ અલયક યા અમ્મ હબીબિલ્લાહિ (સલ.)

અસ્સલામુ અલયક યા અમ્મલ મુસ્તફા (સલ.)

અસ્સલામુ અલયક યા સય્યીદ શ્શુહદાએ

અસ્સલામુ અલયક યા અસદલ્લાહિ વ અસદ રસૂલિહી (સલ.)

અસ્સલામુ અલયકુમ યા શુહદાએ યા સોઅદાએ

અસ્સલામુ અલયકુમ બિમા સબરતુમ ફનિઅ્‌મ ઉકબદ દારિ

અસ્સલામુ અલયકુમ યા શુહદાએ ઉહદ કાફફતન, આમ્મતન વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.

અય અમારા સરદાર હઝરત હમઝહ ઈબ્ને અ. મુત્તલિબ ! આપ ઉપર સલામ–અય અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકા ! આપ ઉપર સલામ– અય અલ્લાહના નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકા  આપ ઉપર સલામ –અય અલ્લાહના હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકા આપ ઉપર સલામ – અય નબીયે મુસ્તફા(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકા ! આપ ઉપર સલામ – અય શહીદોના સરદાર ! આપ ઉપર સલામ અય અલ્લાહના અને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના શેર ! આપ ઉપર સલામ – અય શહીદો,અય નેક બુઝુર્ગો, તમારા બધા ઉપર સલામ – મુસીબતોના ઉપર સબર કરવા બદલ તમારા ઉપર સલામ – અને આખિરતનું ઘર કેવું રૂપાળું છે, જે તમોને મળવાનું છે – ઓ બધા જ ઉહદના શહીદો, તમારા બધાં ઉપર અલ્લાહની રહમત અને તેની બરકત નાઝિલ થાય.આમીન !

Log in or Register to save this content for later.