હજ્જના મસાઇલમાં વપરાતા ખાસ પારિભાષિક અરબી શબ્દો એક નઝરમાં

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 186 to 192)

હજ્જના મસાઇલમાં વપરાતા ખાસ   પારિભાષિક અરબી શબ્દો એક નઝરમાં

                આપે આ કિતાબના વાંચન દરમ્યાન જોયું કે મસાઇલે હજ્જમાં અમુક વસ્તુઓના નામ અરબી છે અને ખાસ ઈસ્તિલાહના પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હજ્જ – ઉમરહની તા’લીમાતને સમજવા માટે તેની ઓળખ જરૂરી છે, જો કે દરેકની વિગત પોત પોતાની જગાએ લખવામાં આવેલી જ છે, પણ વધૂ સહૂલતના ખાતર આવા શબ્દો અહીંયા અલગ રીતે બયાન કરવામાં આવ્યા છે.

એહરામ

 

હાજી જયારે હજ્જ અથવા ઉમરહ માટે પાકી નિય્યત કરીને તલબિયહ પઢે છે, તેને એહરામ કહેવામાં આવે છે, જેનાથી અમુક હલાલ વસ્તુઓ પણ તેના ઉપર હરામ થઈ જાય છે, એટલા માટે એને એહરામ કહેવામાં આવે છે.
કઅ્‌બહ (બયતુલ્લાહ)

 

અલ્લાહ તઆલાનું ઘર, જેની હજ્જ તથા ઉમરહ કરવામાં આવે છે.

બયતુલ્લાહના અલગ અલગ ખૂણા છે :

રૂકને યમાની : પશ્ચિમ તથા દક્ષિણ દિશાના ખૂણાને કહે છે, જે” યમન” બાજૂ આવેલો છે.

રૂકને ઈરાકી : ”ઈરાક” બાજૂના ભાગને કહે છે.

રૂકને શામી : ”શામ” બાજૂના ભાગને કહે છે.

મીજાબે રહમત : કઅ્‌બહના શરીફની છત ઉપરથી હતીમના અંદર પડતા વરસાદી પાણીનાં પરનાલાને કહેવામાં આવે છે, જયાં દુઆ કબૂલ થાય છે, અને તેના નીચે નમાઝ પઢવી અફઝલ છે.

હજરે અસ્વદ કઅબતુલ્લાહની દીવારનો તે પથ્થર,જેને બોસો આપીને તવાફનો દરેક ચકકર શરૂ કરવામાં આવે છે. ભીડમાં દૂરથી ઇસ્તિલામ કાફી છે.
મસ્જિદે હરામ તે મસ્જિદ, જેમાં બયતુલ્લાહ છે.
ઝમઝમ તે કુવો જેનું પાણી પીવું સવાબ, અને જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે
બાબુસ્સલામ મસ્જિદે હરામનો તે દરવાજો, જયાંથી પહેલી વખત દાખલ થવું અફઝલ છે, હવે તેનું નામ ”બાબુલ ફત્હ” રાખવામાં આવ્યું છે.
હજ્જ

 

અલ્લાહ તઆલાના ઘરની, નકકી દિવસોમાં મખ્સૂસ ઈબાદતોની સાથે ઝિયારત કરવી

 

ઈફરાદ

 

ફકત હજ્જનું એહરામ બાંધીને એકલા હજ્જના કામો કરવા.

 

મુફરિદ ફકત હજ્જનો એહરામ બાંધનારને કહે છે.
તમત્તુઅ હજ્જના મહિનાઓમાં, પહેલાં ઉમરહ કરવો અને તે જ વર્ષે હજ્જનું એહરામ બાંધીને હજ્જ કરવી.
મુતમત્તિઅ્‌ તમત્તુઅના એહરામ બાંધનારને કહે છે.
કિરાન હજ્જ અને ઉમરહનું એહરામ એક સાથે બાંધી, પહેલા ઉમરહ કરવું અને પછી તે જ એહરામથી હજ્જ કરવી.
કારિન હજ્જે કિરાન કરવા વાળાને કહે છે.
ઉમરહ નકકી દિવસો સિવાય, બીજા દિવસોમાં મખ્સૂસ ઈબાદતોની સાથે ”બયતુલ્લાહ”ની ઝિયારત કરવી
અશ્હુરે હજ્જ હજ્જના મહિનાઓ, એટલે કે શવ્વાલ અને ઝિલ્કઅદહનો પૂરો મહિનો, અને ઝિલ્હજ્જના શરૂઆતનાં દસ દિવસો
તલબિયહ

 

તે વઝીફો કે જે ઉમરહ અને હજ્જમાં ”એહરામ”ની હાલતમાં પઢવામાં આવે છે. એટલે કે ”લબ્બયક લબ્બયક (છેવટ સુધી)
મીકાત મકકહ મુકર્રમહની ચારે બાજૂ , તે જગાઓ, કે જયાંથી મકકહ જવાવાળાઓ માટે, ઉમરહ અથવા હજ્જનું એહરામ બાંધવું વાજિબ છે. જે લોકો આ હુદૂદના અંદર રહે છે, તેમને મીકાતી કહેવામાં આવે છે, અને જેઓ આ હદથી બહાર રહે છે, તેમને આફાકી કહે છે.
                હરમ મકકહ મુઅઝઝમહની ચારે બાજુ, અમૂક અંતર સુધીની તે જમીન, જેની પાકીઝગીના કારણે, તેને હરમ કહેવામાં આવે છે, જેની નિશાનીઓ લગાવવામાં આવી છે, અને તે હુદૂદના અંદર શિકાર કરવું, ઝાડો અને ઘાસ કાપવું મના છે. જે માણસ આ હુદૂદના અંદર રહે છે, તેને ”હરમી” (મકકી) અથવા ”એહલે હરમ” કહેવામાં આવે છે.
હિલ હુદૂદે હરમથી બહાર, મીકાત સુધીની જમીનને ”હિલ” કહે છે, આ જગા એ, તે બધી વસ્તુઓ હલાલ છે જેની હરમમાં મનાઈ હતીં. અને જે માણસ આ હિલમાં રહે છે તેને ”હિલ્લી” કહે છે.
ઈજતિબાઅ્‌ એહરામની ઉપરની ચાદરને, જમણી બગલનાં નીચેથી કાઢીને, ડાબા ખભા ઉપર નાંખી દેવી.
મતાફ તવાફ કરવાની જગાને મતાફ કહે છે.
તવાફ કઅ્‌બતુલ્લાહના ફરતે સાત ચકકરો લગાવવા.
તવાફે કુદૂમ મકકહ મુકર્રમહમાં દાખલ થતાં જ પેહલો તવાફ કરવો, જે ઈફરાદ અથવા કિરાનની નિય્યતથી હજ્જ કરવા વાળાઓ માટે મસ્નૂન છે.
તવાફે વદાઅ્‌ બયતુલ્લાહથી રવાના થતી વખતે જે તવાફ કરવામાં આવે છે, જે દરેક આફાકી ઉપર વાજિબ છે.
તવાફે ઉમરહ તે તવાફ જે   ઉમરહ કરવાવાળાઓ ઉપર ફર્ઝ છે.
રમલ જે તવાફ પછી સઈ કરવાની હોય તેવા દરેક તવાફના શરૂના ત્રણ ચકકરોમાં ખભા હલાવતા હલાવતા, નઝદીક નઝદીક કદમ મુકીને, જલ્દી જલ્દી ચાલવું
ઇસ્તિલામ હજરે અસ્વદને ચુમવું, અથવા દૂરથી તેના તરફ હાથ કરી, હાથોને ચુમવા
મુલ્તઝમ હજરે અસ્વદ અને બયતુલ્લાહના દરવાઝાની વચ્ચેની જગા.
હતીમ બયતુલ્લાહથી લાગીને જ ઉત્તર દિશાએ, જમીનનો તે ભાગ, જે કોઈક ઝમાનામાં બયતુલ્લાહમાં શામિલ હતો.
મકામે ઇબ્રાહીમ તે પથ્થર જેના ઉપર ઉભા રહી, હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)એ કઅબતુલ્લાનું બાંધકામ કર્યું હતું.
સફા કઅબહ શરીફના નઝદીક, દક્ષિણ–પૂર્વ દિશામાં, એક પહાડી છે, જયાંથી સઈ શરૂ કરવામાં આવે છે.
મરવહ કઅબહ શરીફના ઉત્તર–પશ્ચિમ બાજુએ એક પહાડી છે, જયાં ”સઈ” પૂરી થાય છે.
સઈ સફા – મરવહ પહાડીઓના વચમાં સાત ચકકર લગાવવાને કહે છે.(સફાથી મરવહ એક ચકકર અને મરવહથી સફા બીજો ચકકર, એમ સાતમો ચકકર મરવહ ઉપર પૂરો થાય છે.
મસ્આ સફા – મરવહ વચ્ચે ”સઈ” કરવાની જગાને કહે છે.
મીલૈન અખ્દરૈન બે લીલા થાંભલા, જેના વચમાં (સફા – મરવહના વચમાં સઈ કરતી વખતે) દોડવામાં આવે છે.
યવ્મુત્તરવિયહ                 જે દિવસે હજ્જની ઈબાદત શરૂ થાય છે, એટલે કે ૮ ઝિલ્હજ્જ.
મિના મકકહ મુકર્રમહથી પ કિલો મીટર દૂર એક વાદી (મેદાન) છે, જયાં હાજી લોકો થોભે છે.
જબલે સબીર મિનામાં એક પહાડ છે.
અરફાત મિનાથી લગભગ ૧૧ કિલો મીટર દૂર, એક મૈદાન છે, જયાં હજ્જનો ખુત્બહ આપવામાં આવે છે અને જયાં ૯ ઝિલહજ્જના રોજ વુકૂફ કરવામાં આવે છે કે જે હજ્જનો સૌથી મોટો રૂકન છે.
બતને ઉરનહ અરફાતના નઝદીક એક જંગલ છે, જયાં રોકાવવું ઠીક નથી. (હવે જંગલ ના બદલે, આ એક મૈદાન થઈ ગયું છે.)
જબલે રહમત અરફાતના મૈદાનમાં તે પહાડ, જેની તળેટીમાંથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હજ્જતુલ વદાઅનો ખુત્બો આપ્યો હતો.
યવમુ અરફહ જે દિવસે અરફાતના મૈદાનમાં હજ્જ થાય છે, એટલે કે ૯ ઝિલ્હજ્જ.
મુઝદલિફહ મિનાથી અરફાત તરફ, લગભગ પાંચ કિલો મીટર દૂર, એક મૈદાન છે, જયાં અરફાતથી પાછા ફરતાં રાતવાસો કરવામાં આવે છે.
જબલે કુઝહ મુઝદલિફહમાં એક પહાડ છે.
વાદીએ મુહસ્સર મુઝદલિફહને અડીને જ આવેલ એક મૈદાન, જયાંથી દોડીને પસાર થઈ જવું જોઈએ.
જમરાત મિનામાં તે ત્રણ જગાઓ, જયાં કાંકરીઓ મારવામાં આવે છે, પહેલાને ”જમરએ ઊલા”, બીજાને ”જમરએ વુસ્તા” અને ત્રીજા ને ”જમરએ અકબા” કહે છે.
રમી જમરાત (શૈતાનો) ઉપર કાંકરીઓ મારવી
યવ્મુન્‍નહર જે દિવસે કુર્બાની કરવામાં આવે છે, એટલે કે ૧૦ ઝિલ્હજ્જ.
હલક માથાના બાલ મૂંડાવવા.
કસર બાલ કતરાવવા.
દમ એહરામની હાલતમાં, અમુક નાજાઈઝ કામો કરવાથી, બકરી વગેરે ઝુબ્હ કરવું વાજિબ થાય છે, તેને દમ કહે છે.
તન્‌ઈમ તે જગા જયાંથી મકકહ મુકર્રમહમાં રોકાણ દરમ્યાન ઉમરહ માટે એહરામ બાંધવામાં આવે છે, જેને મસ્જિદે આઈશહ (રદિ.) પણ કહે છે.
તસ્બીહ ”સુબ્હાનલ્લાહ”   કહેવું.
તકબીર ”અલ્લાહુ   અકબર” કહેવું.
તહલીલ ”લાઇલાહ   ઇલ્લલ્લાહ” કહેવું
જન્‍નતુલ મુઅલ્લા મકકહ મુકર્રમહનું એક મશ્હૂર કબરસ્તાન.
જન્‍નતુલ બકીઅ્‌ મદીનહ મુનવ્વરહનું એક મશ્હૂર કબરસ્તાન.
જુલ્હુલય્ફહ આ એક જગાનું નામ છે, મદીનહ મુનવ્વરહથી ૬ માઈલના અંતરે છે, અને મદીનહ મુનવ્વરહથી મકકહ મુકર્રમહ જવાવાળાઓ માટે મીકાત છે, એટલે કે અહિંયાથી એહરામ બાંધવામાં આવે છે. એને બીરે અલી પણ કહેવામાં આવે છે.
Log in or Register to save this content for later.