હજ્જે કિરાન અને હજ્જે ઈફરાદ

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 168 to 170)

હજ્જે કિરાન અને હજ્જે ઈફરાદ

                આ કિતાબમાં ”હજ્જે તમત્તુઅ” વિશે વિગતે લખવામાં આવ્યું, કારણ કે એમાં સહૂલત હોવાના કારણે આમ લોકોને ”હજ્જે તમત્તુઅ” કરવા વિશેનો જ મશ્‍વેરો આપવામાં આવે છે, તેમ છતાં હજ્જના બે પ્રકારો બાકી છે, એટલે કે ”હજ્જે કિરાન” અને ”હજ્જે ઈફરાદ”. આપને યાદ હશે કે અહકરે આ કિતાબના પેજ નંબર ઓગણ ચાલીસ (૩૯) ઉપર આપને વાયદો કર્યો હતો કે હજ્જના બાકીના બે પ્રકાર (”હજ્જે કિરાન” અને ”હજ્જે ઈફરાદ”)ના મસ્અલાઓ અલગથી બયાન કરવામાં આવશે, તો હવે પછીના પેજોમાં આપણે હજ્જના ઉપરોકત બંને પ્રકારોની જાણકારી પણ મેળવી લઈએ.

 

 

હજ્જે તમત્તુઅ અને હજ્જે કિરાનઈફરાદમાં થોડોક જ તફાવત છે :

                ”હજ્જે તમત્તુઅ” અને ”હજ્જે ઈફરાદ/કિરાન”માં આ ફરક છે, કે ”હજ્જે તમત્તુઅ”માં ”મીકાત” ઉપર ફકત ઉમરહનું એહરામ બાંધવામાં આવે છે, અને મકકહ મુકર્રમહ પહોંચીને, ઉમરહ કરીને, એહરામ ખોલી નાખવામાં આવે છે અને જયારે હજ્જના દિવસો શરૂ થાય ત્યારે હજ્જ માટે મકકહ મુકર્રમહથી બીજું એહરામ બાંધવામાં આવે છે.જેની વિગત આપ આગળ જોઈ ગયા.

                જયારે કે હજ્જે કિરાનમાં ”મિકાત”થી ઉમરહ અને હજ્જ, બંનેનું એક સાથે એહરામ બાંધવામાં આવે છે, એટલે કે એક જ એહરામમાં, બંને અદા કરવાની નિય્યત કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે :

اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ الْحَجَّ وَ الْعُمْرَۃَ فَیَسِّرْھُمَا لِی وَ تَقَبَّلْھُمَا مِنِّی

                (અલ્લાહુમ્મ ઈન્‍ની ઉરીદુલ હજ્જ વલઉમરત ફયસ્સિરહુમા લી વ તકબ્બલહુમા મિન્‍ની.)

                ”અય અલ્લાહ હું હજ્જ, અને ઉમરહના એહરામની એક સાથે નિય્યત કરું છું, એ બંને મારા માટે આસાન ફરમાવો અને કબૂલ ફરમાવો.”

                એટલા માટે ”કારિન” મકકહ મુકર્રમહ પહોંચીને ઉમરહ કરે છે, પરંતુ ઉમરહનો તવાફ અને સઈ કર્યા પછી તે વાળ મૂંડાવશે નહિ, અને એજ એહરામની હાલતમાં રહેશે, ૮મી ઝિલ્હજ્જના મકકહ મુકર્રમહથી મિના જાય છે, અને ત્યાર પછી તેને, તે જ અમલો કરવાના છે, જે ”મુતમત્તિઅ”ને કરવાના છે.

                હજ્જના ત્રણેવ પ્રકારોમાં આ પ્રકાર સૌથી અફઝલ છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હજ્જતુલ વદાઅના મૌકા ઉપર ”ઝુલ્હુલૈફહ”થી ”હજ્જે કિરાન”નું જ એહરામ બાંધ્યું હતું.

                અને ”હજ્જે ઈફરાદ”માં (ઈફરાદનો અર્થ જ આ છે, કે ફકત હજ્જ કરવી) ”મીકાત”થી ફકત હજ્જનું એહરામ બાંધવામાં આવે છે, અને આ પ્રમાણે નિય્યત કરવામાં આવે છે :

اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ الْحَجَّ فَیَسِّرْہٗ لِیْ وَ تَقَبَّلْہٗ مِنّی

(અલ્લાહુમ્મ ઈન્‍ની ઉરીદુલ હજ્જ ફયસ્સિરહૂ લી વ તકબ્બલહૂ મિન્‍ની)

                ”અય અલ્લાહ હું હજ્જના એહરામની નિય્યત કરું છું, તેને મારા માટે આસાન ફરમાવો, અને કબૂલ ફરમાવો.”

                આ એહરામથી ફકત હજ્જ અદા કરવામાં આવે છે અને હજ્જ પહેલાં ઉમરહ કરવામાં આવતો નથી. અને ”હજ્જે ઈફરાદ”માં પણ હજ્જે કિરાનની જેમ હજ્જ પહેલાં એહરામ ખોલી શકાતું નથી. બાકીના અમલો તે રીતે જ કરવાનાં છે, જેમકે ”હજ્જે તમત્તુઅ”માં કરવામાં આવે છે.

                હા, હજ્જે ઈફરાદવાળા ઉપર કુર્બાની વાજિબ નથી. અને ”હજ્જે ઈફરાદ” તથા ”હજ્જ કિરાન”માં ”તવાફે કુદૂમ” સુન્‍નત છે, જયારે કે ”હજ્જે તમત્તુઅ”માં ”તવાફે કુદૂમ” કરવાનો નથી.

                ”તવાફે કુદૂમ” પછી ”કારિન” માટે અફઝલ આ છે, કે હજ્જની સઈ પહેલાં કરી લે, અને આ સૂરતમાં તવાફે કુદૂમમાં ”રમલ” અને ”ઈજતિબાઅ” પણ કરવું પડશે. અને જો ”તવાફે ઝિયારત” પછી સઈ કરવાનો ઈરાદો હોય તો રમલ ના કરે.

અલહમ્દુ લિલ્લાહ હજ્જના ત્રણેવ પ્રકારો પૂરા થયા, હવે આપણે

ત્રણેવના કામો એક નઝરમાં જોઈ લઈએ.

Log in or Register to save this content for later.