Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 178 to 180)
હજજે બદલ કરનારના સફર (પ્રવાસ) ખર્ચ અંગે મસાઇલ
(૧) હજ્જે બદલ કરનારને એટલો યોગ્ય દરમિયાની ખર્ચ મળવો જોઈએ કે આમિરના વતનથી મકકહ મુર્કંર્રમહ સુધી અને ત્યાંથી પોતાના વતન પાછા આવતા સુધી પૂરતો થઈ જાય. અને ખર્ચ માટે મામૂરને તંગી ના પડે અને ફુઝૂલ ખર્ચી (લાંબો હાથ) પણ ના હોય.
(ર)હજ્જે બદલના ખર્ચામાં સવારી, ખાવું–પીવું, એહરામના કપડાં, પહેરવાના કપડાંની ધુલાઈ, ગુસલનો સાબૂ, મઝદૂરની મઝદૂરી, ઘરનું ભાડું, માલ–સામાનના હિફાઝતની મઝદૂરી અને મામૂરની હાલત પ્રમાણે એની જરૂરતની દરેક વસ્તુઓનો ખર્ચ શામેલ છે અને આમિરના માલમાંથી તંગી અને ફુઝૂલ ખર્ચ વગર ઉપરોકત વસ્તુઓમાં પૈસા ખર્ચ કરવું જાઈઝ છે.
(૩) મામૂરને આમિરના માલમાંથી કોઈની દઅવત કરવી, ખાવામાં શરીક કરવું અથવા સદકો આપવું અથવા કોઈને કર્ઝ આપવું જાઈઝ નથી. પરંતુ આ સર્વે કાર્યો માટે આમિરે પરવાનગી આપી હોય તો જાઈઝ છે.
(૪) ફકીહ અબૂલ્લયસ (રહ.) ફરમાવે છે કે દરેક એવી વસ્તુમાં આમિરનો માલ ખર્ચ કરવો જાઈઝ છે કે જેને સામાન્ય રીતે હાજીઓ કરતા હોય અને ”ઝખીરહ” (કિતાબનું નામ)માં એ કથનને જ મુખ્તાર (પસંદ કરેલો) લખ્યું છે.
તેમ છતાં સાવચેતી રૂપે આમિરથી દરેક વસ્તુમાં ખર્ચ કરવાની આમ (જનરલ) પરવાનગી પ્રાપ્ત કરી લેવામાં આવે, જેથી તંગી પણ ના થાય અને મુઆખઝો (અલ્લાહની પકડ) પણ ના થાય. બલ્કે આમિરને જોઈએ કે મામૂરને હજ્જે બદલના ખર્ચ કરતાં અમૂક રકમ વધારે આપે અને વધારાની રકમ મઅમૂરને બક્ષિશ આપી દે જેથી એને દરેક રીતે ખર્ચ કરવામાં આસાની રહે અને હિસાબ કિતાબ રાખવાની તકલીફ ના રહે. પરંતુ એક વસ્તુની અત્રે કાળજી રાખવી જોઈએ કે હજ્જે બદલની બધીજ રકમ મામૂરને બક્ષિશ ના આપે કારણ કે મઅમૂર એ રકમનો માલિક બની જશે જેથી આમિરની હજ્જ અદા નહિ થાય.
(પ) જિનાયતનો દમ મામૂર પોતાના પૈસામાંથી આપે. હાં ! આમિરે પોતાના માલમાંથી આપવાની પરવાનગી આપી હોય તો એના માલમાથી આપવું જાઈઝ છે.
(૬) હજ્જથી પરવાર્યા પછી જે કંઈ રોકડ રકમ, કપડાં અને સામાન વગેરે આમિરના માલમાંથી બચે તે આમિર અથવા એના વારિસોને પરત કરવું વાજિબ છે. હાં ! આમિર બક્ષિસ કરી દે તો લેવું જાઈઝ છે.
Log in or Register to save this content for later.