Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 155 to 157)
મનાસિકે હજ્જ એક નઝરમાં
હજ્જનો
પહેલો દિવસ, ૮ઝિલ્હજ્જ
|
મકકહ મુકર્રમહથી મિના રવાનગી અને મિનામાં ફજર, ઝૂહર, અસર, મગરિબ, ઈશા પઢવાની છે.
રાત મિનામાં કિયામ કરવાનો છે.
|
હજ્જનો
બીજો દિવસ, ૯ ઝિલ્હજ્જ
|
ફજરની નમાઝ મિનામાં અદા કરીને, અરફાત માટે રવાનગી, મસ્જિદે નમિરહમાં ઈમામ સાહબ સાથે નમાઝ પઢવાની સૂરતમાં ઝુહર અસર એક સાથે અદા કરવાની છે.ત્યાર પછી વુકૂફે અરફાત કરવું, અને જો મસ્જિદે નમિરહમાં ઈમામ સાથે બંને નમાઝો જમાઅતથી ના પઢી શકયા હોય, અને એકલા પઢો તો બંને નમાઝો (ઝુહર–અસર) તેમના ટાઈમે જ પઢો.
મગરિબના ટાઈમે મગરિબની નમાઝ પઢયા વગર મુઝદલિફહ માટે રવાનગી. મગરિબ અને ઈશાની નમાઝો, ઈશાના ટાઈમે મુઝદલિફહમાં ભેગી પઢવી. રાત્રે મુઝદલિફહમાં કિયામ કરવું
|
હજ્જનો
ત્રીજો દિવસ, ૧૦ ઝિલ્હજ્જ
|
સુબ્હે સાદિકથી ખૂબ અજવાળું થતાં સુધી મુઝદલિફહમાં થોભવું
તુલૂએ આફતાબ પછી, મુઝદલિફહ થી મિના વાપસી પહેલાં મોટા શૈતાનને રમી કરવી પછી કુર્બાની કરવી પછી માથાના વાળ કતરાવવા અથવા મૂંડાવવા પછી તવાફે ઝિયારત માટે મકકહ મુકર્રમહ જવું રાત્રે મિનામાં કિયામ કરવું |
હજ્જનો
ચોથો દિવસ, ૧૧ ઝિલ્હજ્જ
|
ઝવાલથી લઈ ગુરૂબે આફતાબ સુધીમાં મિનામાં રમી કરવી, પહેલાં નાના શૈતાનને રમી કરવી
પછી વચલા શૈતાનને રમી કરવી પછી મોટા શૈતાનને રમી કરવી ગઈ કાલે તવાફે ઝિયારત ના કર્યો હોય તો આજે કરી લો રાત્રે મિનામાં કિયામ કરવો
|
હજ્જનો
પાંચમો દિવસ, ૧ર,ઝિલ્હજ્જ
|
ઝવાલ થી લઈ ગુરૂબે આફતાબ સુધીમાં મિનામાં રમી કરવી
પહેલાં નાના શૈતાનને રમી કરવી પછી વચલા શૈતાનને રમી કરવી પછી મોટા શૈતાનને રમી કરવી પરમ દિવસે તથા ગઈ કાલે (એટલે ૧૦, ૧૧, ઝિલ્હજ્જે) તવાફે ઝિયારત ના કર્યો હોય તો આજે કરી લો
|
નોટ : – જો ૧૩ ઝિલ્હજ્જના થોભવાનો ઈરાદો હોય તો ઝવાલથી પહેલાં ત્રણે જમરાતને કાંકરીઓ મારી શકાય છે. અને જો ૧૩, તારીખના થોભવાનો ઈરાદો ના હોય, તો મિનામાં થી મગરિબ પહેલાં નીકળી જવું જરૂરી છે.
”તવાફેવદાઅ” મકકહ મુકર્રમહથી પોતાના વતન પાછા ફરતી વખતે કરવો વાજિબ છે. જયાં સુધી મકકહ મુકર્રમહમાં રહો, ત્યાં સુધી બીજા નફલ તવાફ પોતાની તાકત પ્રમાણે, વધુ પ્રમાણમાં કરતા રહો. હરમ શરીફમાં પાબંદીથી હાજરી આપો તવાફ, નમાઝો, તિલાવત કરો, કઅબહ શરીફને અઝમત અને મુહબ્બતથી જુઓ અને આ મૌકાને ગનીમત સમજી, ખૂબ ઈબાદતોમાં મશ્ગૂલ રહો.
સદકહ, ખૈરાત જેટલો બની શકે, કરો. મકકહ વાસીઓથી મુહબ્બત કરો અને એમની ઈઝઝત, અદબ મર્યાદા સાચવો. તેમની બેઈઝઝતી કરવાથી બચો અને દિલમાં ખ્યાલ જમાવો, કે મને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મકકા વાસીઓ બલ્કે દરેક અરબથી મુહબ્બત કરવાનો હુકમ કર્યો છે, માટે એમનાથી કોઈ તકલીફ પહોંચે, તો પણ અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુહબ્બતના લઈને દરગુઝર કરો. ઉમ્મીદ છે કે આપણા આ અમલથી, આપણી બખ્શિીશ થઈ જાય.
નાના મોટા ગુનાહોથી, દરેક રીતે બચવાની કોશિશ કરો, કારણ કે અહીંયાં, જેમ ઈબાદતોનો સવાબ વધારે છે, તેમ ગુનાહોનો વબાલ પણ વધુ છે. માટે ત્યાંની બજાર (માર્કેટો)માં શોપીંગ માટે, અથવા ફરવા માટે વધુ નીકળવું, ગેરમહરમ ઓરતો ઉપર નઝર પડવી, બેકાર વાતો, ગીબત વગેરેથી પોતાને બચાવવાની કોશિશ કરો.
૧ર ઝિલ્હજ્જના તમારા બધાજ કામો પૂરા થઈ જાય છે, જો તમો તેજ દિવસે, પોતાના વતન તરફ રવાના થવા માંગો, તો રવાના થઈ શકો છો, પણ એ તો તમારા હાથમાં નથી હોતું. જે પ્રમાણેનો ઈન્તિઝામ થયો હશે, એ પ્રમાણે જ તમારે નીકળવાનું છે. માટે તમો ઉતાવળ ના કરશો, અને અધીરા (બે સબરા) ના બની જશો, ત્યાં રોકાશો અને ખૂશીના સાથે રોકાશો, એક એક દિવસને ગનીમત સમજશો, કેટલાક લોકો આ છેલ્લા દિવસોને મુસીબત સમજે છે, અને શિકાયતોની હાલતમાં તે દિવસો ગુજારે છે.અલ્લાહ તઆલા રહમ ફરમાવે, આ ઘણીજ ખરાબ આદત છે.
Log in or Register to save this content for later.