રિયાઝુલ જન્નત

Chapter : બહેનોની હજ્જ

(Page : 178 to 194)

રિયાઝુલ જન્નત

હૈ જન્નતમેં સબ કુછ, મદીના નહીં

હા, જન્નત મદીનામેં મવજૂદ હૈ !

 

વહ મસ્જિદ, વહ રવઝહ, વહ જન્નતકા ટુકડા

ખૂશા મંઝરે પૂર બહારે મદીનહ

 

                જયારે તમો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં ”બાબે જિબ્રઈલ”થી દાખલ થશો તો તમારા ડાબા હાથ બાજુ એક રૂમ દેખાશે, આ હઝરત ફાતિમહ (રદિ.)નું ઘર હતું. જયારે તમો એના સામેથી આગળ વધશો, તો તરતજ ડાબા હાથ ઉપર મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો જે ભાગ છે, તેને ”રિયાઝુલ જન્નત” કહેવામાં આવે છે. મિમ્બરે રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને કબર શરીફના વચ્ચેનો પૂરો ભાગ રિયાઝુલ જન્નત છે.આ જગા વિશે હદીસ શરીફમાં આવ્યું છે, કે ”જે જગા મારા ઘર અને મારા મિમ્બરના વચમાં છે, તે જન્નતના બાગોમાંથી એક બાગ છે.”

                (ઘરથી મુરાદ હઝરત આઈશા (રદિ.)નો રૂમ છે, કે જેમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કબર શરીફ છે, અને હઝરત ફાતિમહ (રદિ.)ના રૂમના પાછળ છે.)

                અર્થ આ છે, કે આ જગા હકીકતમાં જન્નતનો એક ટુકડો છે, જેને દુન્યામાં લાવવામાં આવ્યો છે, અને કયામતના દિવસે આ ટુકડો પાછો જન્નતમાં જતો રહેશે. આ ”રિયાઝુલ જન્નત”માં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો મુસલ્લો પણ છે, જયાં ઉભા રહી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઈમામત ફરમાવતા હતા. આ જગાએ એક ખૂબસૂરત મેહરાબ બનાવવામાં આવી છે, જેને મેહરાબે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કહેવામાં આવે છે.

                આ ”રિયાઝુલ જન્નત”માં બે રકા’ત તહિય્યતુલ મસ્જિદ પઢો અને અહિયા જગા ના મળે, તો મસ્જિદમાં ગમે ત્યાં પઢી શકો છો. આવી નેકબખ્તી પ્રાપ્ત થવા ઉપર અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરો, કે તે કેટલો મોટો મહેરબાન છે કે જેણે આ જગા ઉપર જનારાઓને આ દુન્યવી ઝિંદગીમાં જ જન્નતના ફર્શ ઉપર સિજદહ કરવાનો મૌકો આપ્યો.

રિયાઝુલ જન્નતમાં પઢવાની એક ખાસ દુઆ આ છે :

اَللّٰھُمَّ اِنَّ ھٰذِہٖ رَوْضَۃٌ مِنْ رِیَاضِ الْجَنَّۃِ، شَرَّفْتَھَا وَ کَرَّمْتَھَا، وَ مَجَّدْتَھَا، وَ عَظَّمْتَھَا، وَ نَوَّرْتَھَا بِنُوْرِ نَبِیِّکَ، وَ حَبِیْبِکَ مُحَمَّدٍ ﷺ۔ اَللّٰھُمَّ کَمَا بَلَّغْتَنَا فِی الدُّنْیَا زِیَارَتَہٗ، وَ مَأٰثِرَہُ الشَّرِیْفَۃَ، فَلا تَحْرِمْنَا یَا اَللّٰہُ، فِی الآخِرَۃِ مِنْ فَضْلِ شَفَاعَۃِ مُحَمَّدٍ ﷺ، وَ احْشُرْنَا فِیْ زُمْرَتِہٖ، وَ تَحْتَ لِوٓائہٖ وَ اَمِتْنَا عَلٰی مَحَبَّتِہٖ، وَ سُنَّتِہٖ، وَ اسْقِنَا مِنْ حَوْضِہِ الْمَوْرُوْدِ بِیَدِہِ الشَّرِیْفَۃِ، شَرْبَۃً ھَنِیْئَۃً، لانَظْمَأُ بَعْدَھَا اَبَدًا، اِنَّکَ عَلٰی کُلِّ شیْ ئٍ قَدِیْرٌ۔

                (અલ્લાહુમ્મ ઇન્ન હાઝિહી રવઝતુમ મિન રિયાઝિલ જન્નતિ, શર્રફ્‌તહા વ કર્રમ્તહા, વ મજ્જદ્‌તહા, વ અઝઝમ્તહા, વ નવ્વરતહા બિનૂરિ નબિય્યીક, વ હબીબિક મુહમ્મદિન (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), અલ્લાહુમ્મ કમા બલ્લગ્તના ફીદ્‌ દુન્યા ઝિયારતહૂ , વ મઆષિરહૂ શ્શરીફત, ફલા તહ્‌રિમ્ના યા અલ્લાહુ, ફિલ આખિરતિ મિન ફઝલિ શફાઅતિ મુહમ્મદિન (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), વહ્‌શુર્‌ના ફી ઝુમ્‌રતિહી, વ તહ્‌ત લિવાઈહી વ અમિત્ના અલા મહબ્બતિહી, વ સુન્નતિહી, વસ્કિના મિન હવઝિહીલ મવરૂદ બિયદિહિ શ્શરીફતિ, શર્‌બતન હનીઅતન, લાનઝ્‌મઉ બઅ્‌દહા અબદન, ઇન્નક અલા કુલ્લિ શયઈન કદીર.)

                ”અય અલ્લાહ, બેશક આ જગા જન્નતના બાગોમાંથી એક બાગ છે.જેને તમોએ શર્ફ, ઇઝઝત, બુઝુર્ગી અને અઝમત અતા કરી છે, અને તેને પોતાના નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નૂરથી રોશન કરી છે. અય અલ્લાહ, તમોએ જેવી રીતે દુન્યામાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને આપની પવિત્ર યાદગારોની ઝિયારત કરાવી, એવી જ રીતે અય અલ્લાહ, આખિરતમાં પણ અમોને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની શફાઅતથી મહરૂમ ન ફરમાવશો, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની જમાઅત અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝંડા નીચે અમોને ભેગા ફરમાવશો, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુહબ્બત તથા આપની સુન્નત ઉપર ટકી રહેવાની હાલતમાં મૌત અતા ફરમાવશો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક હાથોથી એવો સુમધુર શરબત પીવડાવજો, કે પછી અમોને કયારેય તરસ ના લાગે. બેશક તમો દરેક વસ્તુ ઉપર કાદિર છો.”

                મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં ઔરતો માટે નમાઝ પઢવાની તેમજ પેશાબ, પાખાના અને વુઝૂ વગેરે માટે, અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

                મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બહાર, સહનમાં વુઝૂ વગેરે માટે જે જગાએ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં وراق المیاہ(રુવાકુલ મિયાહ) બોર્ડ લગાવેલું છે.

                એવીજ રીતે મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના અંદર ઔરતોને નમાઝ પઢવા માટે, હય્ય અલસ્સાહ અને હય્ય અલલ ફલાહ એમ બે તરફ અલગ ભાગ કરી દેવામાં આવ્યો છે.

                અને તમો ઓરતો માટે સલાતો સલામ માટે તેમજ રિયાઝુલ જન્નતમાં બે રકા’ત નમાઝ પઢવા માટે પણ દરરોજ બે વખત અલગ ઈન્તિઝામ કરવામાં આવે છે. સવારના ૯ વાગ્યે અને ઝુહરની નમાઝ પછી અર્ધો કલાકે. માટે તમો આ ટાઈમને યાદ રાખશો.

                ખૈર ! તહિય્યતુલ મસ્જિદથી ફારિગ થઈ, ”રવઝએ અકદસ” પાસે હાજર થાઓ અને અદબથી, એવી રીતે ઉભી રહો, કે જાણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિંદગીમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે ઉભી છો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક સૂરતનો દિલમાં ખ્યાલ જમાવો અને આ ખ્યાલ કરો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કબર મુબારકમાં હયાત છે, મારી હાજરીની એમને ખબર છે અને મારી દરખ્વાસ્ત સાંભળી રહયા છે,અને ધીમી અવાઝે, નઝર નીચી રાખીને સલામ પઢો. સલામ આ પ્રમાણે છે :

                اَلسَّلامُ عَلَیْکَ اَیُّھَا النَّبِیُّ السَّیِّدُ الْکَرِیْمُ، وَ الرَّسُوْلُ الْعَظِیْمُ، اَلرَّؤُفُ الرَّحِیْمُ، وَ رَحْمَۃُ اللّٰہِ، وَ بَرَکَاتُہٗ، اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ، اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ یَا حَبِیْبَ اللّٰہِ۔ اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ، یَا خَیْرَ خَلْقِ اللّٰہِ۔ اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ، یَا مَنْ اَرْسَلَہُ اللّٰہُ تَعَالٰی رَحْمَۃً لِلْعٰالَمِیْنَ۔ اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ، یَا خَاتَمَ النَّبِیِّنَ۔ اَنْتَ الْحَبِیْبُ، یَا حَبِیْبَ اللّٰہِ۔اَشْھَدُ اَنَّکَ یَا رَسُوْلَ اللّٰہِ، قَدْ بَلَّغْتَ الرِّسَالَۃَ، وَ اَدَّیْتَ الامَانَۃَ، وَ نَصَحْتَ الاُمَّۃَ، وَ جَاھَدْتَ فِی سَبِیْلِ اللّٰہِ، حَقَّ جِھَادِہٖ، وَ عَبَدْتَ رَبَّکَ حَتّٰی یَاْتِیَکَ الْیَقِیْنُ۔ جَزَاکَ اللّٰہُ تَعَالٰی عَنَّا، وَ عَنْ وَالِدَیْنَا، وَ عَنِ الاسْلامِ، خَیْرَ الْجَزَآئِ۔ اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ یَا سُلْطَانَ الاَنْبِیَائِ، وَ الْمُرْسَلِیْنَ، وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔

                ”અસ્સલામુ અલય્‌ક અય્યુહન નબિય્યુસ સય્યિદુલ કરીમ, વ ર્રસૂલુલ અઝીમ, અર્રઉફુ ર્રહીમ, વ રહ્‌મતુલ્લાહિ વ બરકાતુહ, અસ્સલાતુ વ સ્સલામુ અલય્‌ક યા રસૂલલ્લાહ, અસ્સલાતુ વ સ્સલામુ અલયક યા હબીબલ્લાહ, અસ્સલાતુ વસ્સલામુ અલયક યા ખય્‌ર ખલ્કિ લ્લાહ, અસ્સલાતુ વ સ્સલામુ અલય્‌ક યા મન અર્‌સલહુ લ્લાહુ તઆલા રહમતન્‌ લિલ્આલમીન, અસ્સલાતુ વ સ્સલામુ અલયક યા ખાતિમન નબીય્યીન. અન્તલ હબીબુ યા હબીબલ્લાહ, અશ્હદુ અન્નક યા રસૂલલ્લાહ કદ બલ્લગ્ત ર્રિસાલત, વ અદ્‌દય્‌તલ અમાનત, વ નસહ્‌તલ ઉમ્મત, વ જાહદ્‌ત ફી સબીલિલ્લાહિ હકક જિહાદિહી, વ અબદ્‌ત રબ્બક હત્તા યઅ્‌તિયકલ યકીન. જઝાક લ્લાહુ તઆલા અન્ના, વ અન વાલિદય્ના, વ અનિલ ઈસ્લામિ, ખય્‌રલ જઝાઅ. અસ્સલાતુ વ સ્સલામુ અલયક યા સુલ્તાનલ અંબિયાએ વલ્‌ મુરસલીન, વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.”

                (અય નબી અને અય સરદારે મુહતરમ અને રસૂલે મુઅઝઝમ, શફકત અને રહમતવાળા, તમારા ઉપર સલામ, અને તમારા ઉપર અલ્લાહની (હઝારો હઝાર) રહમતો અને બરકતો નાઝિલ થાય, તમારા ઉપર સલાતો સલામ. અય અલ્લાહના રસૂલ, તમારા ઉપર સલાતો સલામ. અય અલ્લાહના હબીબ, તમારા ઉપર સલાતો સલામ. અય અલ્લાહની મખ્લૂકમાં સૌથી સારા, તમારા ઉપર સલાતો સલામ. અય (તે મુકદ્દસ ઝાત) જેમને અલ્લાહ તઆલાએ બંને દુન્યા માટે રહમત બનાવીને મોકલ્યા, તમારા ઉપર સલાતો સલામ. અય નબીયોના ખત્મ કરનાર, અય અલ્લાહના હબીબ તમો અમારા મહબૂબ છો. અય અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હું સાચા દિલથી ગવાહી આપું છું કે તમોએ અલ્લાહનો સંદેશો (લોકો સુધી) પહોંચાડી આપ્યો અને રિસાલતની અમાનત પૂરી કરી આપી અને ઉમ્મતને (પૂરી પૂરી) નસીહત ફરમાવી દીધી અને અલ્લાહના રસ્તામાં એવી કોશીશ કરી, જેવો કે કોશિશનો હક છે અને પોતાના રબની એટલી ઈબાદત કરી કે તેની રાહમાં મૌત આવી ગયું, અલ્લાહ તઆલા આપને, અમારા અને અમારા મા–બાપ તેમજ બધા ઈસ્લામ વાળાઓ તરફથી, સવોત્તમ બદલો ઈનાયત ફરમાવે, તમારા ઉપર સલાતો સલામ અય નબિયો અને રસૂલોના બાદશાહ, અને આપ ઉપર અલ્લાહની રહમતો અને બરકતો નાઝિલ થાય.)

                સલામ પેશ કરતી વખતે, ઘણી હજીયાણીઓ અરબી ઝુબાનથી નાવાકિફ હોવાના કારણે ઉલટ સુલટ બોલે છે, જેનાથી અર્થ બદલાઈ જાય છે. યાદ રાખો, કે સલામ તે સારી છે, કે જે અકીદત, મુહબ્બતથી પેશ કરવામાં આવે,ભલેને તે નાની હોય, એટલે જેઓ પઢવાનું નથી જાણતી, તેઓએ નીચેની નાની સલામ યાદ કરી લેવી જોઈએ અને તે જ વારંવાર પઢતી રહે.

اَلسلامُ عَلَیْکَ یَارَسُوْل اللّٰہ

”અસ્સલામુ અલય્‌ક યા રસૂલલ્લાહ”

(અય અલ્લાહના રસૂલ તમારા ઉપર સલામ)

                અને જો એથી વધુ યાદ કરી શકતી હોય, તો નીચે પ્રમાણેની સલામ જરૂર યાદ કરી લો.

وۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا نَبِیَّ اللّٰہِ

اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا حَبِیْبَ اللّٰہِ

اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا خَیْرَ خَلْقِ اللّٰہِ

اَلصَّلٰوۃُ وَ السَّلامُ اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ

اَلصَّل عَلَیْکَ یَا خَاتَمَ الانْبِیَائِ

اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا سَیِّدَ الانْبِیَائِ وَ الْمُرْسَلِیْنَ وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔

                તમારી સલામ પઢાઇ જાય ત્યાર પછી, જો કોઈએ તમોને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં સલામ રજૂ કરવાની દરખ્વાસ્ત કરી હોય, તો હવે તેના તરફથી સલામ પેશ કરો. જેની રીત આ છે કે :

اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ مُحَمَّدْ اِقْبَال فَلاحِی

                ”અસ્સલાતુ વસ્સલામુ અલયક યા રસૂલલ્લાહિ મિન મુહમ્મદ ઈકબાલ ફલાહી.”

                (મતલબ એ છે કે પછી તે ઓરત અથવા મરદનું નામ લેવામાં આવે, જેણે તમોને સલામ કરવાની દરખ્વાસ્ત કરી છે.)અને જો ઘણા બધા લોકોએ સલામ પેશ કરવાની દરખ્વાસ્ત કરી હોય અને તમને બધાના નામો યાદ ના હોય, તો તેમના તરફથી આ પ્રમાણે સલામ પેશ કરો :

اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ جَمِیْعِ مَنْ اَوْصَانِیْ بِالسَّلامِ عَلَیْکَ۔

                                ”અસ્સલાતુ વસ્સલામુ અલય્‌ક યા રસૂલલ્લાહિ મિન જમીઇ મન અવ્‌સાની બિસ્સલામિ અલય્‌ક”

                (અય અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! જે લોકોએ મને, આપના ઉપર સલામ પહોચાડવાની દરખ્વાસ્ત કરી છે, તે તમામ તરફથી આપને સલામ.)

                ત્યાર પછી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી શફાઅતની દરખ્વાસ્ત કરો, કે હુઝૂરેવાલા, ગુનાહોના ભારે મારી કમર તોડી નાખી છે, હું આપની રૂબરૂ અલ્લાહ તઆલાથી મારા ગુનાહોની તવબહ કરૂં છું અને અલ્લાહથી માફી ચાહું છું. આપ પણ મારા માટે મગફિરત માંગો, અને કયામતના દિવસે મારી શફાઅત ફરમાવશો. જો આપ મારી શફાઅત નહિ ફરમાવો તો મારું શું થશે !

                મતલબ આ છે, કે દિલની કોઈ ઉમ્મીદ બાકી ના રહી જાય, એ પ્રમાણે દુઆ કરશો અને કોઈકવાર ફકત આંસુઓની ઝૂબાનથી કામ લેશો, તો કોઈકવાર ઝોક–શોખની ઝૂબાનથી કામ લેશો.

                દુઆથી ફારિગ થઈ ગયા પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર સૌથી વધુ જાન કુર્બાન કરનારા હઝરત અબૂબકર (રદિ.)ની ખિદમતમાં આ પ્રમાણે સલામ પેશ કરોઃ

اسلام علیک یا اباا بکر ن الصدیق

اَلسَّلامُ عَلَیْکَ یَا خَلِیْفَۃَ رَسُوْلِ اللّٰہِ

اَلسَّلامُ عَلَیْکَ یَا وَزِیْرَ رَسُوْلِ اللّٰہِ

اَلسَّلامُ عَلَیْکَ یَا صَاحِبَ رَسُوْلِ اللّٰہِ فِی الْغَارِ وَ رَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ۔

                (અસ્સલામુ અલય્‌ક યા અબા બક્‌ર સિદ્દીક, અસ્સલામુ અલયક યા ખલીફત રસૂલિલ્લાહિ, અસ્સલામુ અલયક યા વઝીર રસૂલિલ્લાહિ, અસ્સલામુ અલય્‌ક યા સાહિબ રસૂલિલ્લાહિ ફીલ ગારિ વ રહ્‌મતુલ્લાહિ વ બરકાતુહ.)

                ”તમારા ઉપર સલામ અય હઝરત અબૂ બક્ર (રદિ.), તમારા ઉપર સલામ અય રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ખલીફા, તમારા ઉપર સલામ અય રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વઝીર, તમારા ઉપર સલામ અય રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ગારના સાથી, અને આપ ઉપર અલ્લાહની રહમતો અને બરકતો નાઝિલ થાય.”

                ત્યાર પછી હઝરત ઉમર ફારૂક (રદિ.)ને સલામ પેશ કરો :

اَلسَّلامُ عَلَیْکَ یَا عُمَرَ بْنِ الْخَطَّابِؓ

اَلسَّلامُ عَلَیْکَ یَا اَمِیْرَ الْمُؤْمِنِیْنَ

اَلسَّلامُ عَلَیْکَ یَا عِزَّ الاسْلامِ وَ الْمُسْلِمِیْنَ

اَلسَّلامُ عَلَیْکَ یَا اَبَا الفُقْرَائِ وَ الضُّعَفَآئِ وَ الاَرَامِلِ وَ الاَیْتَامِ وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔

                (અસ્સલામુ અલય્‌ક યા ઉમરબ્નલ ખત્તાબ, અસ્સલામુ અલયક યા અમીરલ મુઅ્‌મિનીન, અસ્સલામુ અલયક યા ઈઝઝલ ઈસ્લામિ વલ મુસ્લિમીન, અસ્સલામુ અલય્‌ક યા અબલ ફુકરાએ વ ઝઝુઅ્‌ફાએ વલ અરામિલે વલ અયતામિ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.)

                ”તમારા ઉપર સલામ અય હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.), અય મુસલમાનોના સરદાર તમારા ઉપર સલામ, અય મુસલમાન અને ઈસ્લામની ઈઝઝત આપ ઉપર સલામ, અય ફકીરો, કમઝોરો, બેવાઓ, અને યતીમોના મદદ કરનાર, આપ ઉપર સલામ અને આપ ઉપર અલ્લાહના તરફથી રહમત અને બરકતો નાઝિલ થાય.”

                યાદ રાખો કે સલામ પેશ કરવા જતી વખતે હાથમાં ચપ્પલ લઈને જવું અદબના વિરૂધ્ધ છે. પહેલા સલામત જગાએ ચપ્પલ મૂકી દો પછી સલાતો – સલામ માટે જવું જોઈએ.

                એ પણ યાદ રાખો કે દુરૂદો સલામ તથા દુઆ માટે કોઈ શબ્દો નકકી નથી. અને દુરૂદો સલામ લાંબા પણ છે અને ટૂંકા પણ, માટે જેનું જેમાં દિલ લાગે એ પ્રમાણે કરે.

                મદીનહ મુનવ્વરહના રોકાણ દરમિયાન, દરેકે દરેક સેકન્ડને ગનીમત સમજશો, તમારો વધુ પડતો વખત મસ્જિદે નબવીમાં જવો જોઈએ. અલ્લાહ તઆલાની લાખો, કરોડો માઈલો ઝમીનમાં, આ જ તે ખૂશનસીબ ટુકડો છે, જયાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અલ્લાહના હુઝૂરમાં સૌથી વધુ સિજદહ કર્યા છે, નમાઝો પઢી છે, ખુતબહ આપ્યા છે, એઅ્‌તિકાફ કર્યા છે, જો કે હાલનું મસ્જિદે નબવીનું બાંધકામ નબુવ્વતના ઝમાનાનું જૂનુ બાંધકામ નથી પણ એમાં કોઈ શક નથી, કે ઝમીન તો તે જ છે, ફિઝા પણ તે જ છે, અનવારો બરકાત પણ તે જ છે, અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આજે પણ, ત્યાંના જ એક ભાગમાં આરામ ફરમાવી રહયા છે.

                બસ હવે તમે છો અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) છે દિલની કોઈ તમન્ના અને ઉમ્મીદ બાકી ના રહી જાય! દુરૂદ શરીફ પઢવા માટે આના થી સારો કયો ઝમાનો હોઈ શકે છે ? જયારે દિલ ચાહે અને દિવસમાં જેટલી વાર ચાહે, હાજરી આપો અને સલામ પેશ કરો, તમારૂ નસીબ ખૂલી ગયું છે, માટે હવે કમી કેમ કરો છો ? હા, દરેક વખતે અઝમત, અદબ, અને શોખ તથા મુહબ્બતની સાથે કરશો. દિલની હાલત હંમેશા એક જેવી નથી હોતી, તે પણ સુઈ જાય છે, અને જાગે છે, જો તમારુ દિલ જાગે, તો સમજો કે તમારુ નસીબ જાગ્યું છે.

                ઈમામ અહમદ (રહ.)એ હઝરત અનસ (રદિ.)થી રિવાયત બયાન કરી છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : જે માણસ મારી મસ્જિદમાં ચાળીસ નમાઝો એ રીતે અદા કરે, કે કોઈ નમાઝ ફૌત ના થાય, તો તેને દોઝખના અઝાબ અને નિફાકથી પાક કરી દેવામાં આવશે.

                માટે તમો આઠ દિવસ મદીનહ મુનવ્વરહમાં રોકાઓ, અને ચાળીસ નમાઝો પૂરી કરો. અને મસ્જિદે નબવીની ખાસ ઈબાદત, દુરૂદ શરીફ પઢવું છે, એટલે પહેલે થી પોગ્રામ બનાવીને જાઓ, કે આ આઠ દિવસના સમયગાળામાં ૭૦૦૦ અથવા ઓછામાં ઓછા પ૦૦૦ વાર દુરૂદ શરીફ પણ પઢીશ. એક મુખ્તસર દુરૂદ આ પણ છે :

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدِنِ النَّبِیِّ الاُمِّیِّ وَ عَلٰی اٰلِہٖ وَ سَلِّمْ تَسْلِیْمَا۔

                ”અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિ નિન્નબિય્યીલ ઉમ્મિય્યિ વ અલા આલિહી વ સલ્લિમ તસ્લિમા”

                આ દુરૂદ શરીફ ઘણી જ આસાનીથી, આઠ દિવસમાં દસ હઝાર, વખતે પઢી શકાય એમ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે, કે જે મારી કબર પાસે દુરૂદ શરીફ પઢે છે તેને હું ઓળખું છું.

Log in or Register to save this content for later.