Chapter : બહેનોની હજ્જ
(Page : 150 to 151)
કુર્બાની
અલ્લાહ તઆલાએ આપને ”હજ્જે તમત્તુઅ” ની મોટી નેઅ્મત અતા ફરમાવી, તેના શુક્રિયહના તૌર પર, આપે કુર્બાની કરવી વાજિબ છે. માટે રમી કર્યા પછી કુર્બાની કરો અને પછી બાલ કપાવીને એહરામ ખોલી નાંખો.
”જમરએ અકબહ”ની રમી કર્યા પછી, કુર્બાની તથા બાલ કપાવવાના છે, પણ તમે એ બંને ૧૦ તારીખે જ કરી નાખો એ જરૂરી નથી. રમી કર્યા પછી ભીડના કારણે કુર્બાની કરવી મુશ્કેલ હોય, તો જાણી જોઈને પોતાને તકલીફમાં ના નાખતી, આજે નથી થઈ શકતા તો કાલે અથવા પરમ દિવસે કરશો. હા, એ વાત નકકી છે, કે જયાં સુધી કુર્બાની નહિ કરો, ત્યાં સુધી બાલ નથી કપાવી શકતી અને જયાં સુધી બાલ નહિ કપાવો, ત્યાં સુધી એહરામ નથી ખોલી શકતી.
તમો હજામતથી ફારિગ થઈ, એનો અર્થ આ છે કે, હવે આપનું એહરામ ખુલી ગયું.હવે ન્હાવું, ધોવુ વગેરે જાઈઝ છે, દરેક વસ્તુની આઝાદી છે, પણ હજુ આપના ધણી માટે આપનાથી સુહબત (સંભોગ) કરવી જાઈઝ નથી.
આ સમજવા માટે આટલું જાણી લો, કે હજ્જના ત્રણ ફર્ઝો છે. (૧) એહરામ બાંધવું, (ર) અરફાતમાં હાજરી, (૩) તવાફે ઝિયારત. આ ત્રણમાંથી ૧ અને ર તો તમે કરી ચુકી છો, પણ હજુ ૩ નંબર એટલે કે તવાફે ઝિયારત બાકી છેઅને એહરામની બધી પાબંદીઓમાંથી હવે એકજ પાબંદી બાકી છે, એટલે કે સુહ્બત ની પાબંદી. તમે જયારે તવાફે ઝિયારત કરી લેશો, ત્યારે એ પાબંદી પણ ખત્મ થઈ જશે.
Log in or Register to save this content for later.