Chapter : ઝિયારતે મદીનહ
(Page : 5)
સય્યિદના જુન્નુરયન (હઝરત ઉસ્માન રદિ.) ઉપર સલામ : જન્ન્તુલ બકીઅમાં હઝરત ઉસ્માન (રદિ.) (કે જેઓ ત્રીજા ખલીફહ છે.)ની કબર ઉપર આ પ્રમાણે સલામ પેશ કરો :
اَلسَّلَامُ عَلَیْکَ یَا اِمَامَ الْمُسْلِمِیْنَ-اَلسَّلَامُ عَلَیْکَ یَا ثَالِثَ الْخُلَفآئِ الرَّاشِدِیْنَ-اَلسَّلاَمُ عَلَیْکَ یَا ذَا النُّوْرَیْنِ- اَلسَّلاَمُ عَلَیْکَ یَا مُجْھِزَ جَیْشِ الْعُسْرَۃِ بِالنَّقْدِ وَالْعَیْنِ- اَلسَّلَامُ عَلَیْکَ یَا صَاحِبَ الْھِجْرَتَیْنِ-اَلسَّلَامُ عَلَیْکَ یَا جَامِعَ الْقُرْآنِ بَیْنَ الدِّقَّتَیْنِ-اَلسَّلَامُ عَلَیْکَ یَا صَبُوْرًا عَلٰی اْلَاکْدَارِ- اَلسَّلاَمُ عَلَیْکَ یَا شَھِیْدَ الدَّارِ-اَلسَّلاَمُ عَلَیْکَ وَرَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ
”મદીના મુનવ્વરહ” માં ”મસ્જિદે નબવી” (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સિવાય બીજી ઘણી મસ્જિદો છે, જયાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તથા સહાબએ કિરામ (રદિ.)એ નમાઝો પઢી છે. આ મસ્જિદોમાંથી ઘણી મસ્જિદો અત્યારે આબાદ છે. અને ઘણી વેરાન પણ થઈ ગઈ છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં બંધાયેલ કોઈ જ મસ્જિદ અત્યારે પોતાની અસલી હાલત ઉપર નથી. બધી નવેસરથી બનાવવામાં આવેલી છે, પણ જગા તો તે જ છે, એટલે બરકત અને રહમતથી સહેજ પણ ખાલી નથી, એટલે આ મસ્જિદોની ઝિયારત કરવી પણ મુસ્તહબ છે. મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પાસેથી ભાડાની ટેક્ષીઓ મળે છે જે દરેક જગાએ લઈ જાય છે અને ઝિયારત કરાવે છે.
Log in or Register to save this content for later.