Chapter : ઝિયારતે મદીનહ
(Page : 5)
મદીનહ મુનવ્વરહની તે મુબારક જગ્યાઓ, જેની ઝિયારત કરવી જોઈએજન્નતુલ બકીઅ :
આ ”મદીનહ મુનવ્વરહ”નું કબ્રસ્તાન છે, અને ”જન્નતુલ બકીઅ”ના નામથી મશ્હૂર છે. મદીનહ મુનવ્વરહમાં મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને રવઝએ મુકદ્દસહ પછી સૌથી અહમ જગા અહિંયાનું આ જૂનુ કબ્રસ્તાન છે, જે હરમે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પ/૧૦ મિનિટના અંતરે છે.ફજરની તેમજ અસરની નમાઝ પછી જન્નતુલ બકીઅનો દરવાઝો ખોલવામાં આવે છે.
એક હદીસમાં છે, કે કિયામતના દિવસે આ કબ્રસ્તાનથી ૭૦૦૦૦ (સીત્તેર હઝાર) એવા માણસો ઉઠશે, જેમના ચહેરા ચૌદમી રાતના ચાંદ જેવા હશે અને તેઓને હિસાબ કિતાબ વગર જન્નતમાં દાખલ કરી આપવામાં આવશે. કિયામતના દિવસે સૌથી પહેલા ”જન્નતુલ બકીઅ” વાળાઓ ઉઠાવવામાં આવશે.
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) રાતના ટાઈમે આ કબ્રસ્તાન તશરીફ લઈ જતા હતા. એટલા માટે દરેક હાજીએ જયાં સુધી મદીનહ મુનવ્વરહમાં રહે, દરરોજ અથવા જુમ્અહના દિવસે ”જન્નતુલ બકીઅ” જવું જોઈએ અને તેઓના માટે, અલ્લાહ તઆલાથી મગફિરત,રહમત અને દરજાતની બુલંદી માટે દુઆઓ કરવી જોઈએ.
Log in or Register to save this content for later.