Chapter : ઝિયારતે મદીનહ
(Page : 4)
અસ્હાબે સુફફહ :મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં, એક ચબુતરો છે. બાબે જિબ્રઈલથી જો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થાઓ તો જમણા હાથ ઉપર આવશે. જે સહાબએ કિરામ (રદિ.) અહીંયા રહેતા હતા, તેઓને ”અસ્હાબે સુફફહ” કહેવામાં આવે છે. આ લોકો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી દીનની તા’લીમ પ્રાપ્ત કરીને અન્ય જગાએ દીનને ફેલાવવા જતા હતા. આમ તો લગભગ સહાબએ કિરામ (રદિ.)ની ઝિંદગી તદ્દન સાદગીભરી હતી, પરંતુ અસ્હાબે સુફફહ (રદિ.)ની ઝિંદગી સૌથી વધુ સાદગીભરી, તંગીવાળી અને દુન્યાથી બેરગબતી વાળી હતી. દુન્યાનો આ પહેલો દારૂલ ઉલૂમ છે, કે જેના ઉસ્તાઝ ખૂદ અલ્લાહના હબીબ હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હતા અને તલબા, સહાબએ કિરામ (રદિ.) હતા. તમે પણ આ જગાએ નમાઝ, તિલાવત, દુરૂદ શરીફ પઢીને અહદ કરશો, કે અલ્લાહનો દીન પૂરી દુન્યામાં ફેલાઇ જાય એના માટે જરૂરથી કોશિશ કરીશ.
Log in or Register to save this content for later.