Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 119)
મદ્રસાના સફીર પોતાનો માસિક પગાર (ચંદાનું કામ કરવાના મહિનાનો પગાર) મુહતમિમની મંજૂરીથી ઝકાતની રકમમાંથી લઇ શકે છે અને પોતાના પગારની રકમ સફર ખર્ચમાં વાપરી પાછળથી મદ્રસામાંથી વસૂલ કરી લે અને ઝકાતની રકમ મુહતમિમની મંજૂરીથી સફર ખર્ચ માટે કર્ઝ પેટે પણ લઇ શકે છે અને પછી ઝકાતના હિસાબમાં જમા કરી લેવામાં આવે. (કિફાયતુલ મુફતી : ૪/ર૬૯)
સફીર ઝકાતનો હકદાર હોવાના આધારે પગાર ઉપરાંત ઝકાતની રકમનો પોતે માલિક બની જાય એ દુરુસ્ત નથી, કારણ કે સફીર ગરીબ તલબા માટે ઝકાત વસૂલ કરવાનો વકીલ છે, એટલે ઝકાતની રકમ પોતે માલિક બનીને લઇ શકતો નથી. (ઝુબ્દતુલ ફતાવા : ૪/રરર–રર૩)
Log in or Register to save this content for later.