સંસ્થાએ બાંધકામ માટે ઝકાત ફંડમાંથી કર્ઝરૂપે વાપરવા

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 117)

અંજુમન જેવી સંસ્થામાં લોકો અનેક પ્રકારની રકમો આપે છે અને તેના વ્યવસ્થાપકોને તે રકમોની યથાયોગ્ય વ્યવસ્થા કરવાની સત્તા અને અખત્યાર હોય છે અને તેના આધારે ઝકાત ફંડની રકમ બીજા ફંડ માટે, દા.ત. બાંધકામ ફંડ માટે કર્ઝ લેવું જાઇઝ છે. બાંધકામ માટે લિલ્લાહ રકમ મળ્યા પછી ઝકાત ફંડમાં તેમાંથી કર્ઝ લીધેલી રકમ જમા કરવી જરૂરી છે અને વર્ષ પૂરું થતાં પહેલાં ઝકાત ફંડની રકમ યોગ્ય સ્થળે વપરાય જાય એ બેહતર છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૧૧)

Log in or Register to save this content for later.