Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 118)
શૈક્ષણિક કે ગેર શૈક્ષણિક, દુન્યવી કે દીની કોઇ પણ સંસ્થાના મકાનના બાંધકામમાં ઝકાતની રકમ વાપરવી જાઇઝ નથી. ઝકાતની રકમ ઝકાતની હકદાર વ્યક્તિઓને માલિકી ધોરણે આપવી જરૂરી છે, અહિંયા સુધી કે જો કોઇ એવી વ્યક્તિની જરૂરતમાં ખર્ચ કરવામાં આવે કે જે વ્યક્તિ માલિક બનવાને લાયક નથી તો પણ ઝકાત અદા નહિ થાય, જેમ કે કોઇ ગરીબ મય્યિતના કફન–દફનમાં કોઇ માણસે ઝકાતની રકમ ખર્ચ કરી તો ખર્ચ કરનારની ઝકાત અદા નહિ થાય,કારણ કે મૃત વ્યક્તિ કોઇ માલની માલિક બનવાને પાત્ર નથી, બલકે જે માલ તેની માલિકીમાં હોય છે તે પણ તેની માલિકીમાંથી નીકળીને હયાત વારસદારોની માલિકીમાં ચાલ્યો જાય છે, માટે કોઇ સંસ્થાના મકાનના બાંધકામમાં ઝકાતની રકમ આપવાથી ઝકાત આપનારની ઝકાત અદા નહિ થાય અને જો અજ્ઞાનતાના કારણે પાછલાં વર્ષની જેટલી રકમ બાંધકામમાં આપવામાં આવી હોય તેટલી રકમ ફરીથી ઝકાત પેટે ઝકાતના હકદારોને આપવી જરૂરી છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૦ર–ર૦૩)
Log in or Register to save this content for later.