રિલીફમાં ઝકાતની રકમ ખર્ચ કરવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 103)

પૂરગ્રસ્તો અથવા આકાશી આપત્તિઓમાં સપડાયેલ નિરાધાર અને ગરીબ માણસો પર ઝકાતની રકમ માલિકી ધોરણે ખર્ચ કરવી જાઇઝ છે, પરંતુ જે લોકો ઝકાતના હકદાર ન હોય તેવા લોકો પર ઝકાતની રકમ ખર્ચ કરવામાં ન આવે. (કિતાબુલ ફતાવા : ૩/૩૦૪, કિતાબુલ મસાઇલ : ર/૧૮પ)

હઝરત મુફતી રશીદ સા. લુધ્યાનવી (રહ.) લખે છે કે, જો પ્રબળ અને મોટા ભાગનું ગુમાન હોય કે અસરગ્રસ્તો ઝકાતના હકદાર છે (અર્થાત તેમની પાસે નિસાબ જેટલો માલ નથી) તો તેમને ઝકાત આપવી જાઇઝ છે, આ શર્તે કે તેમને વસ્તુઓ અથવા રકમ માલિકી ધોરણે આપવામાં આવે. જો તેમને માલિક ન બનાવવામાં આવ્યા, બલકે એમ જ તેમના ઉપર ખર્ચ કરવામાં આવી તો ઝકાત અદા નહીં થાય. આવી રીતે ખાવું–ખાણું બેસાડીને ખવરાવવામાં આવ્યું તો ઝકાત અદા નહીં થાય. ગરીબને માલિકી ધોરણે આપવું જરૂરી છે. (અહસનુલ ફતાવા : ૪/ર૯૪)

Log in or Register to save this content for later.