મુસાફિર જરૂરતથી વધુ માલે ઝકાત ન લે

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 103)

મુસાફિર જો વતનમાં માલદાર હોય અને રસ્તામાં કોઇ કારણસર જરૂરતમંદ થઇ જાયતો તેના માટે ઝકાત લેવાના બદલે યોગ્ય આ છે કે કોઇનાથી કર્ઝ લઇ લે અને વતન પહોંચીને ચૂકતે કરી દે અને જો ઝકાત લેવી જરૂરી હોય તો કેવળ જરૂરત પ્રમાણે જ લે, તેથી વધુ લેવી તેના માટે દુરુસ્ત નથી, પરંતુ જો અંદાજો કરી જરૂરત મુજબ લીધી, પછી વતન પરત થતાં સુધી ખર્ચથી કંઇક રૂપિયા બચી ગયા તો બાકી રકમનો સદકહ કરવો તેના ઉપર લાઝિમ નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૪)

Log in or Register to save this content for later.