Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 132)
કોઇ માણસે માલનો હિસાબ લગાવ્યો, ત્યાર પછી ઝકાત અદા કરી, પછી ફરીવાર હિસાબ લગાવ્યો તો માલ ઓછો નીકળ્યો, તો વધુ નીકળેલી ઝકાતને આવતા વરસની ઝકાતમાં ગણતરી કરવી દુરુસ્ત છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૬)
ઉસ્તાઝુલ અસાતિઝહ હઝ. મવ. મુફતી ઇસ્માઇલ સા. ભડકોદ્રવી (રહ.) લખે છે : ”વર્ષના અંતમાં પોતાની ઝકાતપાત્ર મૂડીનો હિસાબ કરતી વખતે જેટલી રકમ અથવા જેટલો માલ–સામાન અગાઉથી ઝકાત પેટે આપી ચૂકયા હોય તો તે ઉધારમાં ગણવામાં આવશે, જમામાં નહિ ગણાય અને અગાઉ ઝકાત અંદાજે કાઢવાથી હિસાબ કરતી વખતે માલૂમ પડે કે ઝકાત વાજિબ પ્રમાણેથી વધારે અદા થઇ છે, તો તે વધારાની રકમ આવતા વર્ષની ઝકાતના હિસાબમાં મજરે લઇ શકાય છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧પ૧)
Log in or Register to save this content for later.