મય્યિતનું કર્ઝ–દેવું ઝકાત દ્વારા ચૂકવવું

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 120)

ઝકાત અને વ્યાજની રકમથી મરનારનું દેવું અદા કરવું જાઇઝ નથી. જો અદા કરવામાં આવશે તો ઝકાત અદા નહિ થાય, કેમ કે તેમાં માલિક બનાવવાની શરત પૂરી થતી નથી (મૃત વ્યક્તિ માલિક બની શકતી નથી અને ઝકાતની અદાયગી માટે માલિક બનાવવું જરૂરી છે).

મરનારે પોતાની માલિકીની એટલી મિલકત ન છોડી હોય કે તેનું પૂરેપુરું દેવું ભરપાઇ થઇ શકે, તો બાકી પડતા કર્ઝની અદા કરવાની જવાબદારી તેના વારસદારોની નથી. તેઓ સ્વેચ્છાએ અદા કરવા માંગે તો અદા કરી શકે છે અને કોઇ બીજી વ્યકિત પણ લિલ્લાહ રકમથી મર્હૂમનું કર્ઝ ચૂકતે કરવા ઇચ્છે તો પણ અદા કરી શકે છે.

અલબત્ત, જો કોઇ ગરીબ હકદારને ઝકાતની રકમ આપવામાં આવે, પછી તે પોતાની તરફથી ચૂકતે કરે તો એવું કરવું દુરુસ્ત ગણાશે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૧૪, કિતાબુલ મસાઇલ : ર/૧૯૧)

Log in or Register to save this content for later.