પોતાની ઝકાતના હકદાર અને ગેર હકદાર રિશ્તેદારો

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 109)

જે રિશ્તેદારથી ઝકાત આપનારને વિલાદતનો વંશીય સંબંધ હોય (અર્થાત પોતાના ઉસૂલ) બાપ, સગા દાદા–પરદાદા,  સગી દાદી–પરદાદી, સગી મા, સગા નાના, સગી નાની– પર નાની, (અને પોતાના ફુરૂઅ) દીકરો, દીકરી, સગો પૌત્ર, સગી પૌત્રી, સગો નવાસો, સગી નવાસી, સગા નવાસા–નવાસીની અવલાદને પોતાની ઝકાત તેમજ સદક–એ–ફિત્ર આપવો જાઇઝ નથી. એવી જ રીતે પતિ– પત્નીએ પરસ્પર ઝકાતની લેવડદેવડ કરવી જાઇઝ નથી.

અલબત્ત, જે ગરીબથી રિશ્તેદારી તો છે, પરંતુ ઉપર કે નીચેના વિલાદતનો વંશીય સંબંધ અથવા પતિ–પત્ની તરીકેનો સંબંધ નથી, જેમ કે : સગો ભાઈ, સગી બહેન, સગા કાકા, સગી ફોઈ, સગો ભત્રીજો, સગી ભત્રીજી, પિતરાઈ દાદા–દાદી, પિતરાઈ કાકા, સગા મામા–માસી તેમજ તેમની અવલાદ, પિતરાઈ નાના–નાની તેમજ તેમની અવલાદ, સાળો–સાળી તેમજ તેમની અવલાદ જો તેઓ ઝકાતના  હકદાર ગરીબ હોય તો તેમને માલદાર માણસ પોતાની ઝકાત (અને સદક–એ–ફિત્ર) આપી શકે છે. પોતાની મન્નતનો વાજિબ સદકહ અને પોતાની નમાઝ–રોઝાનો ફિદયો આપવાનો હુકમ પણ ઝકાત અને સદક–એ–ફિત્રની             જેમ જ છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪ર)

Log in or Register to save this content for later.