દારૂડિયાને ઝકાત આપવી કેવી છે ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 113)

સદકાત અને ખયરાત નેક લોકોને આપવા અફઝલ છે, જેમ કે વારિદ છે : તમારું ખાણું નેક લોકો ખાય.

પરંતુ ગુનેહગાર અને દારૂના વ્યસનીને જો તે ફકીર–ગરીબ છે તો ઝકાત આપવાથી ઝકાત અદા થઈ જશે, ભલે બેહતર આ છે કે નેક ફકીરને આપવામાં આવે.  (ફતાવા દારુલ ઉલૂમ : ૬/ર૩પ)

અલબત્ત, જો આનું સંપૂર્ણ યકીન હોય કે તે દારૂ પીવામાં ઝકાતની રકમ ખર્ચ કરશે તો તેને ઝકાત દેવી દુરુસ્ત નથી. કુર્આને કરીમમાં છે : ”વલા તઆવનૂ અલલ ઈષ્મિ વલ ઉદવાન– (પારહ : ૬), પરંતુ જો એવું ગુમાન હોય કે તેને ઝકાત આપવાથી તે તવબા કરી લેશે  તો દુરુસ્ત છે.” (મુહમ્મદસઈદ)

Log in or Register to save this content for later.