Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 107)
તાલિબે ઇલ્મને ઝકાત આપવી
મોટા દીની મદ્રસાઓ કે જ્યાં છોકરાઓને દાખલ કરી તેમને ખાવાનો, કપડાંનો, હાથખર્ચનો બંદોબસ્ત કરવામાં આવે છે, જ્યાં ના ગરીબ છોકરાઓ કોઇનાથી પોતે સવાલ કરતા નથી, મદ્રસાના વ્યવસ્થાપકો તેમની વ્યવસ્થા માટે ચંદામાં ઝકાતની રકમ વસૂલ (કબૂલ) કરે છે અને ગરીબ તાલિબે ઇલ્મો જે દીની ઇલ્મ હાસિલ કરતા હોય તેમને ઝકાત આપવી અફઝલ અને વધારે સવાબનું કામ છે. દુર્રે મુખ્તારમાં એની ચોખવટ છે. જો કે બીજા મોહતાજ ગરીબોને ઝકાત આપવાથી પણ ઝકાત તો અદા થઇ જશે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૭૬)
તા‘લીમી સ્કૉલરશીપમાં ઝકાત આપવી
જે તાલિબે ઇલ્મ સાહિબે નિસાબ ન હોય અને બાલિગ હોય તેઓને સ્કૉલરશીપ તરીકે ઝકાતની રકમ આપવાથી ઝકાત અદા થઇ જશે, ભલેને તેઓનાં મા–બાપ શરઈ દ્રષ્ટિએ માલદાર હોય કે ન હોય અને જો તાલિબે ઇલ્મ ગરીબ નાબાલિગ હોય તો તેઓના બાપ શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય તો ઝકાત આપી શકાય છે અને જો માલદાર હોય તો તેઓને ઝકાત આપી શકાશે નહિ. જો જાણ હોવા છતાં તેઓને ઝકાત આપવામાં આવશે તો ઝકાત આપનારની ઝકાત અદા નહિ થાય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૭૭)
Log in or Register to save this content for later.