Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 100)
સાહિબે નિસાબ માણસે એક ગરીબ માણસને કોઈ વસ્તુ વેચી, જેની કિંમત એક હજાર (૧૦૦૦) રૂપિયા છે, ગરીબ માણસે અલ્લાહનો વાસ્તો આપી પોતાની ગરીબીનું કારણ બતાવી કંઈક છૂટ માંગી, તો તેણે બસો (ર૦૦) રૂપિયા ઓછા કરી દીધા અને તે બસો રૂપિયાને ઝકાતમાં ગણી લીધા તો આવી રીતે કરવું જાઇઝ નથી, બલકે તે વસ્તુના બે ભાગ કરે, એક ભાગને આઠ સો (૮૦૦) રૂપિયામાં વેચે અને બીજો ભાગ જેની કિંમત બસો (ર૦૦) રૂપિયા છે, કિંમત લીધા વગર ઝકાતમાં આપી દે અથવા તે વસ્તુ એક હજારમાં વેચીને પૂરા એક હજાર વસૂલ કરે, ત્યાર પછી બસો રૂપિયા ઝકાતમાં આપી દે. (ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૯/૬પ૩)
Log in or Register to save this content for later.