Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 108)
જે માણસ વિશે ઝકાત આપનારને વિશ્વાસપૂર્વક ખબર હોય કે તે શરઈ દ્રષ્ટિએ ગરીબ છે, તો તેવા માણસને ઝકાત દેવા માટે તેને પૂછવું બિલકુલ જરૂરી નથી, પૂછયા વગર ઝકાત આપવામાં આવે તો પણ અદા થઇ જશે અને જે માણસની દેખીતી હાલત સારી હોય અને તે લોકોથી ઝકાત વગેરેનો સવાલ ન કરતો હોય અને તે ખરેખર ગરીબ હોય અને પોતાને ઝકાતનો હકદાર કહેતાં શરમાતો હોય, તો તેવા માણસને પૂછયા વગર ઝકાત આપવાથી ઝકાત અદા થઇ જશે, પૂછવાની કોઇ જરૂરત નથી, બલકે ઝકાતની રકમ આપતી વખતે તેને ઝકાતની રકમ કહીને આપવી પણ જરૂરી નથી. હદિયાના નામે આપશે તો પણ ઝકાત અદા થઇ જશે અને એવા માણસને ઝકાત આપવી વધુ બેહતર છે, જે ખરેખર ગરીબ હોવા છતાં દેખાવમાં પોતાની હાલત સારી બતાવે અને કોઇને સવાલ ન કરે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૭૩)
Log in or Register to save this content for later.