ઝકાતની રકમથી ભાડાંના મકાનો બનાવવાં

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 101)

ઝકાતથી બનેલાં મકાનોને કમિટી આ શર્તોને આધીન આપે કે, તમે મકાન વેચી નથી શકતા, તેમાં પાલતુ જાનવરો રાખી નથી શકતા, મકાન ભાડે આપી નથી શકતા, તમારે જો દેશ–વિદેશ જવાનું થાય તો મકાનની ચાવી કમિટીવાળાઓને આપવી પડશે, તેમાં મકાનની મિલ્કિયત માલિકની રહેશે,  તમે મકાનનો કબજો નથી કરી શકતા અને આ સિવાય બીજી શર્તો લખાવી સહી–સિકકા કરાવે તો ભલે આ સ્કીમમાં કમિટી મુખ્લિસ છે અને આ રીત ગરીબોની હમદર્દીમાં જ કરે છે, પરંતુ ઝકાતની દુરુસ્ત અને સંતોકારક અદાયગી માટે જે ગરીબોના નામે ઝકાતનો ચંદો કરવામાં આવ્યો છે, તેને તેમના માલિક બનાવી આપી દેવી જોઇએ. ઝકાતથી બનાવેલાં મકાનોનો નામ પૂરતો હીલો કરવાથી અથવા ગરીબોને માલિક ન બનાવી આપવાથી ઝકાતની અદાયગીમાં શંકા રહેશે, એટલે તેનાથી બચવું જોઇએ. ગરીબો એ મકાન ન વેચે અને પોતાના રહેઠાણ માટે ઉપયોગમાં લાવે અને બીજા આડોશ–પાડોશને નુકસાન કરતી વસ્તુઓ ન રાખે અને ગુનાહિત વસ્તુઓ ઘરમાં ન વસાવે, તેના માટે તેમને નરમ શૈલીમાં કુર્આનો–હદીસની રોશનીમાં સમજાવવામાં આવે,  ફ ઇન્નઝ ઝિકરા તન્ફઉલ મુઅમિનીન. (મુસ્તફાદ ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૩૭, ૧૩૮)

Log in or Register to save this content for later.