ઝકાતની રકમથી દીની લિટ્રેચર પ્રકાશિત કરવાનો હુકમ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 99)

ઝકાતમાં જમ્હૂરના નજદીક કોઈ ગરીબને માલિક બનાવવો શર્ત છે, એટલા માટે ઝકાતની રકમ વસૂલ કરી તેનાથી દીની–તબ્લીગી લિટ્રેચરો અને પુસ્તકો પ્રકાશિત કરવા જાઈઝ નથી. દીની તબ્લીગી લિટ્રેચરો અને પુસ્તકો માટે ઝકાત સિવાયના ફંડથી ફાયદો ઉઠાવવો જોઈએ. અલબત્ત, જો ગલતીથી ઝકાતની રકમથી એવાં લિટ્રેચર પ્રકાશિત કરી લેવાયાં છે તો પછી તેને કેવળ ગરીબ અને નાદાર (ગેર સાહિબે નિસાબ) વ્યક્તિઓ ઉપર વહેંચવામાં આવે અને ગેર હકદાર વ્યક્તિઓ માટે તેની કોઈ કિંમત નકકી કરી લેવામાં આવે અને જ્યારે કિંમત વસૂલ થાય તો તેને ગરીબ–નાદાર લોકોને આપી દેવામાં આવે. આના વગર ઝકાત અદા નહિ થાય. (ફતાવા ઉસ્માની : ર/૧પપ)

નોટ : દીની લિટ્રેચર માટે હીલો (યુક્તિ–પ્રયુક્તિ) કરવાથી યથાશક્તિ બચવું જોઈએ. કેવળ લિલ્લાહ રકમનો ચંદો કરી પ્રકાશિત કરવું જોઈએ. ઉમ્મતમાં આવાં દીની કામો માટે સખી દાતાઓ ઘણા બધા ઉપલબ્ધ થઈ જાય છે. દેનારાઓની કમી નથી, પરંતુ સહીહ જગ્યાએ ખર્ચ કરનારાઓની કમી–ઓછપ છે.  (મુહમ્મદસઈદ)

Log in or Register to save this content for later.