Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 105)
લોકહિતના કામ કરતી સોસાયટીઓમાં (જેમ કે ગરીબ દર્દીની તબીબી સેવા વગેરે)ની વ્યવસ્થાપક જવાબદાર વ્યકિતઓ પાસે આવી કોઇ ઝકાતનો હકદાર દર્દી ડૉકટરની પોતાના નામે પડતી ફીસ ચૂકવી આપવા (અર્થાત પોતાનું દેવું ચૂકવી આપવા) રજૂઆત કરે, તો આ સૂરતમાં ઝકાતની રકમથી દર્દીના કહેવા મુજબ દર્દીનું દેવું ચૂકવવું જાઇઝ છે અને આ પ્રમાણે ઝકાતની રકમનો ઉપયોગ કરવાથી ઝકાત આપનારની ઝકાત અદા થઇ જશે. રકમને દર્દીના હાથમાં આપવી જરૂરી નથી. દર્દીના કહેવા મુજબ ડૉકટરને આપવાથી દર્દીને આપી એમ ગણાશે.
જો સોસાયટીના વ્યવસ્થાપકો દર્દીને એમ કહે કે તું ફલાણા ડૉકટર પાસે ઇલાજ કરાવી લે, તપાસ ફી અમે ડૉકટરને આપી દઇશું અને ડૉકટર સોસાયટીના નામે તપાસ ફી બાકી લખે–ગણે તો આ શકલમાં ઝકાતની રકમથી ફીસ આપવી દુરુસ્ત નથી.
અલબત્ત, તપાસ ફીસ ઉપરાંત દવાની કિંમત સાથે ચાહે ડૉકટરની ફી બાકી હોય યા સ્ટોરની ફી બાકી હોય અને ચાહે તે દર્દીના નામે ઉધાર હોય કે સોસાયટીના નામે ઉધાર હોય (સોસાયટીએ ગામ લોકો સમજી જાહેર કરેલા હેતુઓ મુજબ) બંને સૂરતમાં દર્દીના દવા લીધા પછી ઝકાતની રકમથી દવાની કિંમતનું બાકી બિલ ચૂકવવું જાઇઝ છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૯૯)
Log in or Register to save this content for later.