ગેર હકદારને આપેલી ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 96)

જે માલદાર માણસ અથવા તેનો વકીલ કોઇ માણસને ઝકાતનો ગેર હકદાર જાણતો હોય અને તે છતાં તેને ઝકાત આપે તો તેની ઝકાત અદા નહીં થાય અને જે માણસે કોઇને હકદાર સમજીને–વિચારીને ઝકાત આપી તો ઝકાત અદા થઇ જશે અને ઝકાત લેનારના માલદાર હોવાની ખબર પડયા પછી બીજી વાર ઝકાત આપવી જરૂરી નહિ ઠરે અને લેનાર પાસેથી પાછી લેવામાં નહિ આવે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૪૩)

નોટ : પરંતુ એના માટે એ રકમને વાપરવી હરામ છે. ક્યાંક તો તેને સદકહ કરી દે અથવા માલિકને પરત કરી દે.

(ઉપરોકત વિગત માટે જુઓ ”ફતાવા શામી : ૩/ર૭૪” દારુલ કિતાબ દેવબંદ)  (મુહમ્મદસઈદ)

Log in or Register to save this content for later.