ગરીબની શાદીમાં ઝકાત ખર્ચ કરવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 94)

અસલ મસ્અલહ તો આ જ છે કે જે શખ્સ ગરીબ અને ફકીર હોય તો તેને ઝકાત આપવી દુરુસ્ત છે, પરંતુ આજકાલ ગરીબ છોકરીઓની શાદીના નામ પર જે કાયદેસર ચંદો કરવામાં આવે છે તેમાં શરઈ ખરાબી આ પેશ આવે છે કે સૌ પ્રથમ એક–બે સખી સજજનની મદદથી નિસાબ મુજબ રકમ જમા થઇ જાય  છે, પરંતુ નિરર્થક અને બેકાર રિવાજો અને લાંબીલચ દા’વતોના બંધ માટે વધુ રકમ પ્રાપ્ત કરવાની માંગણીઓ ચાલુ રહે છે, તો સારી પેઠે સમજી લેવું જોઇએ કે, નિસાબ પ્રમાણે માલ પ્રાપ્ત થયા પછી વધુ ઝકાતની રકમ લેવી કદી પણ જાઇઝ નથી અને દેનારને જો મૂળ પરિસ્થિતિની જાણ હોય તો તેના માટે ઝકાતની રકમ દેવી પણ દુરુસ્ત નથી. (ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૯/પર૯)

એટલા માટે એવી જગાઓ પર જો ખર્ચ અનિવાર્ય હોય તો ઇમ્દાદી (સહાયની) રકમથી મદદ કરવામાં આવે, ઝકાતની રકમ ન આપવામાં આવે, બેહતર અને સાવચેતી આ જ છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૩)

Log in or Register to save this content for later.