કલ્યાણકારી, જનહિતાર્થી અને સાર્વજનિક કામોમાં ઝકાત લગાવવી જાઇઝ નથી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 112)

સાર્વજનિક કામો જેમ કે માર્ગો, પુલો, પાણીની ટાંકીઓ અને દવાખાનાઓના બાંધકામમાં ઝકાતના ફંડનો ઉપયોગ નાજાઇઝ છે. આ જગાઓ પર ખર્ચ કરવાથી ઝકાત અદા નહિ થાય. જો કોઇ ગરીબ હકદારને ઝકાત આપવામાં આવે અને પછી તે ઉપરોકત જગાઓ પર પોતાની ખુશીથી કબજો              મેળવ્યા પછી આપે તો ખર્ચ કરવી દુરુસ્ત છે.  (કિતાબુલ મસાઇલ : ર/૧૯૦, ફતાવા મહમૂદિય્યહ–મેરઠ : ૧૪/ર૩૯, ફતાવા દીનિય્યહ : ર/પ૪૭)

Log in or Register to save this content for later.