Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 92)
અમુક વખતે એવું બને છે કે, પત્ની સાહિબે નિસાબ હોય છે, પરંતુ તેનો ધણી સાહિબે નિસાબ હોતો નથી. તદુપરાંત, પતિ ઓછો પગારદાર હોવાની સાથે તેને પોતાનાં મા–બાપના જીવનનિર્વાહ માટે કંઇક ને કંઇક આપવું પડે છે, તો આવી વ્યકિત માટે એક માર્ગ આ પણ છે કે, તે પોતાની ઔરત પાસેથી તેના નિસાબની ઝકાત અદા કરવાની રજા લઇને તે ઝકાત પોતાના ગરીબ અને ઝકાતનાં હકદાર મા–બાપને ઔરતની ઝકાત આપવાની નિય્યત કરી હદિયો કહીને આપી શકે છે, કારણ કે મજકૂર ઝકાત પોતાની ઔરતની છે. આ શકલમાં ઔરતની ઝકાત અદા થઇ જશે. (મુસ્તફાદ ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૬૯)
નોટ : યાદ રાખો ! જો અલ્લાહ તઆલાએ નવાઝયા હોય તો પોતાનાં મા–બાપની સેવા–ચાકરીને એક સદભાગ્ય સમજી પોતાની લિલ્લાહ રકમથી જ મદદ કરવી જોઇએ. બીજાઓની ઝકાતથી મદદ ન કરીએ. (મુહમ્મદસઈદ)
Log in or Register to save this content for later.