વકીલે ઝકાતના રૂપિયા અદલબદલ કરવા

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 70)

મદ્રસાના સફીર અથવા માલિકનો વકીલ અમીન (વિશ્વસનીય) હોય છે, એટલા માટે મૂળ વાત આ છે કે ઝકાતમાં પ્રાપ્ત થયેલ અસલ રકમનો અદલોબદલો કર્યા વગર મદ્રસા અથવા કોઇ હકદાર સુધી પહોંચાડે, પણ જો જરૂરત હોય તો નોટ બદલવાની અને ચેન્જ કરાવવાની પણ ગુંજાઇશ છે, કેમ કે ઝકાતમાં રૂપિયા નકકી નથી હોતા, બલકે અસલમાં પૂંજી અને માલિય્યત ની હોય છે, તેમાં વધઘટ ન હોવી જોઇએ.” (કિતાબુલ મસાઇલ : ર/૧પ૩–૧પ૪)

Log in or Register to save this content for later.