Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 77)
ઝકાત આપનારે જે દેશની કરન્સી (ચલણ)થી ઝકાત અદા કરી છે, ત્યાંની કરન્સીનો એ’તિબાર થશે. પોતાના દેશની કરન્સીથી જેટલા માલની ઝકાત અદા કરી છે તેટલા જ માલની ઝકાત શુમાર થશે, બીજા દેશની કરન્સી ભલે ઓછી હોય યા વધુ.
બીજા શબ્દોમાં એવું સમજો કે જે રકમ મોહતાજ યા મોહતાજોને આપવામાં આવી છે, તે ઝકાત અદા કરનારના માલનો ચાળીસમો ભાગ હોવો જોઈએ, જે કરન્સીથી ઝકાત અદા કરવામાં આવી હોય તે કરન્સીના હિસાબથી ચાળીસમા ભાગની ગણતરી થશે. (મુસ્તફાદ આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૧૮૭)
Log in or Register to save this content for later.