Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 41)
જો સોના અને ચાંદી બન્નેનાં ઘરેણાં અથવા વસ્તુઓ મિલકતમાં હોય, પરંતુ કોઇ એકનો નિસાબ પણ પૂરો ન હોય તો બન્નેને મિલાવી કિંમત લગાડવામાં આવશે. જો બન્ને કિંમત મળી સોના–ચાંદીના કોઇ નિસાબને પહોંચી જાયતો ઝકાત વાજિબ થઇ જશે. (દા.ત. આજકાલ સોના–ચાંદીની કિંમતોમાં બહુ મોટો તફાવત છે. હવે જો કોઇની પાસે દોઢ (૧. ૧/ર) તોલા સોનું હોય અને અમુક તોલા ચાંદી હોય તો બન્નેની જ્યારે કિંમત લગાડવામાં આવશે, તો ચાંદીના રૂએ નિસાબ સુધી પહોંચી જશે, એટલે ઝકાત ફર્ઝ થશે.) (કિતાબુલ મસાઇલ : ર/૧૩પ, ફતાવા દીનિય્યહ : ર/પરપ–પર૬)
Log in or Register to save this content for later.