સોના–ચાંદીમાં કઇ કિંમત ગણવામાં આવે ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 67)

સોના–ચાંદીમાં ઝકાત અસલ વજનના એ’તિબારથી ફર્ઝ થાય છે. (દા.ત. ચાળીસ (૪૦) ગ્રામ સોનામાં એક ગ્રામ સોનું ફર્ઝ થાય છે.) હવે તેની અદાયગી રૂપિયા દ્વારા કરવાનો ઇરાદો છે તો શ્રેષ્ઠ વાત આ છે કે, વાજિબ થયેલ વજનનું સોનું બજારમાં જેટલાનું મળે છે તે એ’તિબારથી ઝકાત કાઢશે, કે તેમાં ફકીરોનો નફો વધારે છે, પરંતુ જો પોતાની પાસે મવજૂદ સોનું બજારમાં જેટલાનું વેચાય તેનો લિહાઝ કરી ઝકાત કાઢશે તો પણ ફર્ઝ અદા થઇ જશે, કેમ કે શરીઅત તરફથી અસલ તકાદો તે જ સોના–ચાંદીની છે, જે માલિકીમાં હાલ ખાતે મૌજૂદ છે, એટલા માટે તેની વેચાણ કિંમતને ગણવામાં આવશે. (દા. ત. બજારમાં સોનાની કિંમત પચ્ચીસ હજાર (રપ,૦૦૦) રૂપિયામાં દસ ગ્રામ છે. જ્યારે કે આપણે પોતાનું સોનું વેચવા ઇચ્છીએ તો સોની તેવીસ હજાર (ર૩,૦૦૦) રૂપિયામાં દસ ગ્રામના હિસાબથી કિંમત લગાવે છે, તો આપણી ઉપર અસલ ઝકાતનો વુજૂબ તેવીસ હજાર પ્રતિ દસ ગ્રામના હિસાબથી જ થશે, કેમ કે આ જ તેની મૂળ કિંમત છે.) (કિતાબુલ મસાઇલ : ર/૧પ૧, ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૧૦)

Log in or Register to save this content for later.