Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 52)
જો બાપ યા મા’એ દીકરી અથવા દીકરાની શાદી માટે ઘરેણાં બનાવી રાખી મૂકયાં હોય અને તેને બચ્ચાંઓના હવાલે કર્યા નથી, બલકે પોતાની મિલકતમાં છે તો તેની મૂડી પર નિયમાનુસાર મા અથવા બાપ પર ઝકાત ફર્ઝ રહેશે અને જો બચ્ચાંઓની મિલકતમાં આપી દીધાં છે, તો જ્યાં સુધી તેઓ નાબાલિગ (અપકવ વયના) છે તો તેમના પર ઝકાત ફર્ઝ થશે નહિ અને બાલિગ (પુખ્ત વય) થયા પછી જો નિસાબ વગેરેની શર્તો પૂરી થતી હોય, તો વરસ ગુજરવા પર તેના પર ઝકાત ફર્ઝ થશે. (ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૯/૩૭૬, મહમૂદુલ ફતાવા ર/૭પ, કિતાબુલ મસાઇલ : ર/૧૪૧)
Log in or Register to save this content for later.