Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 44)
ખરીદતી વખતે વેપારનો મક્કમ ઇરાદો ન હતો
કોઇ વસ્તુ વપરાશ માટે ખરીદી, સાથે સાથે આ નિય્યત હતી કે નફો મળશે તો વેચી દઇશ, નહિતર મૂકી રાખીશ તો તેના પર ઝકાત ફર્ઝ નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૭)
તિજારતની નિય્યતથી ખરીદેલ માલ પર કબજા પહેલાં ઝકાત
કોઇ સામાન તિજારતની નિય્યતથી ખરીદેલ છે, પરંતુ હજુ કબજે નથી તો તેના પર ઝકાત ફર્ઝ નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૭)
Log in or Register to save this content for later.