Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 43)
જે વિધવા ઔરત ઝકાતના નિસાબની માલિક હોય અને તેના શિરે કોઇ દેવું ન હોય તો તે શરઈ દ્રષ્ટિએ માલદાર છે, તેણે પોતે નિસાબની ઝકાત આપવી જરૂરી છે અને સદક–એ– ફિત્ર અને કુરબાની આપવી પણ વાજિબ છે અને બીજાઓ પાસેથી ઝકાત લેવી તેના માટે હરામ છે અને માલદાર માણસે તે ઔરતને ઝકાત આપવી જાઇઝ નથી. જો તેને ઝકાત આપશે તો ઝકાત અદા નહિ થાય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૬૦)
નોટ : આપણો મુસ્લિમ સમાજ આ વિશે બહુ જ ગફલત વર્તે છે. બસ, વિધવા હોવાના નાતે તેણીઓને ઝકાત દે જ દે કરે છે અને જરાક પણ વિચારતા નથી કે શું વિધવા ઔરત ઝકાતની ખરેખર હકદાર છે કે નહિ. તદુપરાંત, વિધવાઓ પણ વિચારતી નથી કે શું અમારાથી ઝકાતનું ફંડ પ્રાપ્ત કરવું જાઇઝ છે યા નહિ ? અલ્લાહ તઆલા આપણને સહીહ સમજ નસીબ કરે, આમીન ! (–મુહમ્મદસઈદ)
Log in or Register to save this content for later.