મરઘી યા માછલી ફાર્મમાં વપરાતા ખોરાક પર ઝકાતનો મસ્અલહ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 51)

મરઘી અથવા માછલી ફાર્મમાં મરઘીઓ અને માછલીઓ માટે જે ખોરાક વાપરવામાં આવે છે તેની કિંમત પર ઝકાત ફર્ઝ નથી, કેમ કે તેને તિજારતની ગરજ–મતલબથી  ખરીદવામાં આવતો નથી, બલકે તેની હેસિયત એવી છે જેમ કે કપડાં ધોનારાઓ (ધોબીઓ) માટે સાબુ અને પાઉડર વગેરે. તેમાં ઝકાત ફર્ઝ હોતી નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૪ર, ઝુબ્દતુલ ફતાવા : ૪/૯૬)

Log in or Register to save this content for later.