Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 51)
ઝકાતનું વર્ષ પૂરું થતાં પહેલાં મરઘાની હગારનો નિકાલ કરવામાં આવે તો ઝકાતમાં ગણતરી કરવાનો સવાલ ઉપસ્થિત નહિ થાય. ખેત ઉત્પાદન અને તેની ઝકાતમાં ગોતર, ઘાસ અને પાલાની જેમ મરઘાની હગાર એ પૉલ્ટ્રી ફાર્મના ધંધાની આવકના મુખ્ય હેતુઓમાંથી નથી, એટલે તેને ઝકાતના હિસાબમાં ન ગણે તો પણ ગુંજાઈશ છે; પરંતુ તે વેપારના માલનો આવકપાત્ર વધારો છે એટલે એહતિયાતની વાત એ છે કે, ઝકાતના હિસાબમાં તેનો પણ સમાવેશ કરી લેવામાં આવે, હગારનું ખાતર તરીકે વેચાણ કરવું જાઇઝ છે અને તેની કિંમતનો ઉપયોગ કરવો પણ જાઇઝ છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૯૭)
Log in or Register to save this content for later.