પરિણીતા પાસે રહેતા ઘરેણાંની ચોખવટ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 52)

સામાન્ય રીતે પરણેલી ઔરત સોના–ચાંદીના જે ઘરેણાંનો ઉપયોગ કરે છે, તે બધાં ઘરેણાં તેની માલિકીના નથી હોતાં, બલકે જે ઘરેણાં તેને તેના મા–બાપે આપ્યાં છે અથવા તેના ભાઈ–બહેનોએ અથવા તેના કોઈ અન્ય રિશ્તેદારે તેને ભેટ રૂપે આપ્યાં છે અથવા જે ઘરેણાં તેને પતિ તરફથી મહર પેટે અથવા બક્ષિસરૂપે મળ્યાં છે, તે તેની પોતાની અંગત માલિકીના ગણાશે અને જે ઘરેણાં તેના પતિ અથવા સસરાએ ખરીદીને તેને માત્ર પહેરવા માટે આપ્યાં છે, બક્ષિસ નથી આપ્યાં, તો તે તેના પતિ અથવા સસરાની માલિકીના ગણાશે. સામાન્ય રીતે પરિણીતા પાસે આવાં વિવિધ પ્રકારનાં ઘરેણાં હોય છે, જેમાંથી તેણે પોતાના ઝકાતના નિસાબમાં ફક્ત પોતાની માલિકીના ઘરેણાં જ ગણવાના રહેશે. પતિ અને સસરાએ વાપરવા આપેલાં ઘરેણાં તેના નિસાબમાં નહિ ગણાય અને તેનાં પોતાનાં ઘરેણાં એકલા અથવા પોતાની ચાંદી અને જમા રોકડ રકમ મળીને માલદારીના નિસાબના પ્રમાણમાં હોય, તો માત્ર પોતાની માલિકીના સોના–ચાંદી  અને રોકડની ઝકાત તેણે આપવી પડશે, બીજાઓની માલિકીના સોના–ચાંદીની ઝકાત તેણે નહિ આપવી પડે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૩, ૪૪)

Log in or Register to save this content for later.