Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 53)
આજકાલ મોટાં શહેરોમાં દુકાન અથવા મકાનના ભાડામાં મકાન અથવા દુકાનનો માલિક ડિપોઝિટના નામે જંગી રકમ વસૂલ કરે છે, જેને દુકાન અથવા મકાન ખાલી કરતી વેળા પરત કરવામાં આવે છે, તો અહીંયા ચર્ચા આ બાબતે છે કે, એ ડિપોઝિટની રકમની ઝકાત કોણ અદા કરે ? ભાડૂત અથવા માલિક ? જાહેરી રીતે તો તેની હેસિયત રહન (ગીરો)ની જણાય છે, તેના કારણે તેની ઝકાત ગીરવી વસ્તુના નિયમાનુસાર ન તો માલિક પર ફર્ઝ હોવી જોઇએ અને ન તો ભાડૂત પર. (મુસ્તફાદ : મહમૂદુલ ફતાવા : ર/ર૬ર, ૪૬૧, નએ મસાઇલ ઔર ઉલમાએ હિંદકે ફેસલે : પ૪, કિતાબુલ ફતાવા : ૩/ર૭૮)
નોટ : ડિપોઝિટની રકમને ગિરો માનવાની શકલમાં અસલ હુકમ આ રહેશે કે, એ ડિપોઝિટની રકમ દુકાન યા મકાનનો માલિક પોતાના ઉપયોગમાં અને પ્રયોગમાં બિલકુલ ન લાવે, બલકે અમાનતના રૂપે સુરક્ષિત રાખે, પરંતુ અમલ આથી ઊલટો છે, કેમ કે કોઇ પણ મકાન યા દુકાનનો માલિક ભાડૂતથી આ રકમને લઇને મહફૂઝ (સુરક્ષિત) રાખતો નથી, બલકે ખચકાયા વગર પોતાના અંગત ઉપયોગમાં લે છે, ઇલ્લા માશા અલ્લાહુ તઆલા. એટલા માટે યોગ્ય આ જણાય છે કે, ગીરવી મૂકેલ વસ્તુમાં ઉપયોગ કરી લેવાના કારણે તેને ગીરોના બદલે દૈને મઝમૂન (એવું દેવું જેનો જામિન હોય)ના દરમાં રાખવામાં આવે, અર્થાત આ રકમ એવું સમજો કે માલિક પર ભાડૂતની તરફથી કરજ છે, એટલા માટે તેની ઝકાત મકાન યા દુકાનના માલિક પર વાજિબ નહીં થાય, બલકે ભાડૂત પર ફર્ઝ થશે, જે આ રકમનો મૂળ માલિક છે. જેમ કે જગવિખ્યાત અને સુસિદ્ધ ધર્મશાસ્ત્રી અલ્લામહ શામી (રહ.)એ બયઉલ વફાઅની કિંમત સંબંધિત ચર્ચા કરતાં જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે, તેનાથી પણ ઉપરોક્ત બાબતને સમર્થન મળે છે. આદરણીય અલ્લામહ શામી (રહ.) લખે છે :
”કુલ્તુ : યંબગી લુઝૂમુહા અલલ મુશ્તરી ફકત અલલ કવ્લિલ્લઝી અલયહિલ અમલુલ આન મિન અન્નલ બયઅલ વફાઇ મંઝિલુહૂ મંઝિલતિ ર્રહનિ વ અલયહિ ફ–યકૂનુસ્સમનુ દયનન અલલ બાઇઅ.” (શામી–બૈરૂત : ૩/૧૬૬)
તેમ છતાં આ વિશે આ ચોખવટ યોગ્ય છે કે જો ભાડા પેટેના કરારમાં મકાન અથવા દુકાન ખાલી કરાવવાનો કોઇ મર્યાદિત નજીકનો સમય નક્કી હોય, તો આ ડિપોઝિટની રકમ ”દૈને કવી”ના દરજામાં લેખાશે અને જ્યારે નિયત થયેલ રકમ પર ભાડૂત દુકાન યા મકાન ખાલી કરી પોતાની રકમ વસૂલ કરશે, તો પાછલાં વરસોની ઝકાત પણ અદા કરવી પડશે અને જો ભાડા પેટેના કરારમાં મકાન યા દુકાન ખાલી કરાવવાની મુદ્દત અચોક્કસ છે, તો ”દૈને મુતવસ્સિત” યા ‘દૈને ઝઈફ’ના દરજામાં છે, અર્થાત ભાડૂત રકમ વસૂલ કર્યા પછી પાછલાં વરસોની ઝકાત અદા કરવાનો ઝિમ્મેદાર નથી, બલકે જ્યારે રકમ તેના કબજામાં આવશે તે જ સમયથી હિસાબ શરૂ થશે. અલ્લાહ તઆલા વધુ ણનાર છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૩)
ઉસ્તાઝે મુહતરમ હઝરત મવ. મુફતી ઇસ્માઈલ સા. (રહ.) લખે છે : ”ભાડૂતે ભાડે લીધેલા મકાન અને દુકાનની ડિપોઝિટ પેટે મકાન અને દુકાનના માલિકને આપેલી રકમનો સામાન્ય રીતે તેઓ ઉપયોગ કરે છે, તેને જે–તે હાલતમાં જમા રાખતા નથી, એટલે તેને ભાડૂતે આપેલું કર્ઝ ગણવામાં આવશે અને ભાડૂતે તે રકમ વસૂલ થાય ત્યારે પાછલાં બધાં વરસોની ઝકાત આપવી પડશે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૪)
નોટ : જેની સવિસ્તર ચર્ચાનું વાંચન તમે ઉપરોક્ત લખાણમાં કર્યુ. (–મુહમ્મદસઈદ)
Log in or Register to save this content for later.