Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 43)
જો બદનના કોઇ ભાગમાં સોનું અથવા ચાંદી એવી રીતે ઘૂસેલું હોય કે તેને આસાનીની સાથે ન કાઢી શકાતું હોય, જેમ કે દાંતોમાં લાગેલા સોના યા ચાંદીના તાર અથવા તે મસાલો જે દાંતોની ખોલ (કવર)માં ભરી દેવાય છે, તો તેના પર શરઈ દષ્ટિએ ઝકાત વાજિબ નથી. (કેમ કે હવે આ વૃદ્ધિ પામતા માલના અનુરૂપ બની શકતો નથી, જે ઝકાત વાજિબ હોવાની શર્ત છે). (મુસ્તફાદ ઇમ્દાદુલ ફતાવા : ર/૪૯, ઈઝાહુલ મસાઇલ : ૧૦૯, મર્ગૂબુલ ફતાવા : ૩/૩૩૯, કિતાબુલ મસાઇલ : ર/૧૩૬)
Log in or Register to save this content for later.