જો ઘરેણાંની સાથે રૂપિયા પણ હોય તો…

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 42)

ઘરેણાં સાથે જો રૂપિયા અથવા વેપારનો સામાન મૌજૂદ હોય તો ભલે ઘરેણાંનું વજન નિસાબ સુધી નથી પહોંચતું, પરંતુ સમગ્ર વસ્તુઓને મિલાવીને કિંમત ચાંદીના નિસાબ  સુધી પહોંચી ગઇ તો ઝકાત વાજિબ થશે (દા. ત. બે–ત્રણ તોલા સોનું હોય અને સાથે પાંચ હજાર રૂપિયા અથવા વેપારનો માલ હોય તો બધાની કિંમત જો ચાંદીના નિસાબ સુધી પહોંચી રહે છે તો તેના ઉપર ઝકાત ફર્ઝ થશે). (ઈઝાહુલ મસાઇલ : ૧૦૩, કિતાબુલ મસાઇલ : ર/૧૩પ, ૧૩૬)

નોટ : ઉપરોક્ત બંનેય મસ્અલા બાબત બધેબધ ગફલત વર્તાય રહી છે. ખાસ કરીને ઓરતોમાં, કેમ કે ઘણીખરી ઓરતો એવું સમજે છે કે ઝકાત તો ત્યારે જ ફર્ઝ થાય છે જ્યારે કોઇ એકનો નિસાબ પૂરેપૂરો હોય, જો કે આ રીતની સમજ તદ્દન ગલત છે. જેમ કે આપે બંનેય મસ્અલાઓનું વાંચન કર્યુ. અલ્લાહ તઆલા સાચી સમજશિત અર્પણ ફરમાવે, આમીન !          ( –મુહમ્મદસઈદ)

Log in or Register to save this content for later.