Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 40)
ચાંદીનો નિસાબ અરબી વજનથી બસો (ર૦૦) દિરહમ છે, જેનું વજન ગ્રામોના હિસાબથી છસો બાર (૬૧ર) ગ્રામ, ત્રણ સો સાઠ (૩૬૦) મિલીગ્રામ થાય છે. (ઈઝાહુલ મસાઇલ : ૧૦૩, કિતાબુલ મસાઇલ : ર/૧૩પ)
ઉસ્તાઝે મુહતરમ હઝરત મવલાના મુફતી ઇસ્માઈલ ભડકોવી (રહ.) લખે છે :
”હિંદો–પાકના જમ્હૂર (મોટા ભાગના) હઝરાતે મુફતિયાને ઇઝામ અને ઉલમાએ કિરામ એ બાબત સર્વસંમત છે કે, હિંદુસ્તાની જૂના તોલમાપથી માલદારીનો ચાંદીનો નિસાબ સાડા બાવન (પર॥) તોલા છે અને સોનાનો નિસાબ સાડા સાત (૭॥) તોલા છે, ઝકાતના મસાઇલમાં નિસાબનું પ્રમાણ સામાન્ય રીતે આ જ પ્રચલિત છે.” (જવાહિરુલ ફિકહ–૧)
”વિશ્વાસપાત્ર હિસાબ મુજબ એક તોલો નવા વજનથી ૧૧ ગ્રામ અને ૬૬૪ મિલીગ્રામ વજન બરાબર બતાવવામાં આવ્યો છે અને આ હિસાબના આધારે હાલ પ્રચલિત દશાંશ (અંગ્રેજી) પદ્ધતિ મુજબ માલદારીનો ચાંદીનો નિસાબ ૬૧ર ગ્રામ અને ૩૬૦ મિલી ગ્રામ બરાબર છે અને સોનાનો નિસાબ ૮૭ ગ્રામ અને ૪૮૦ મિલીગ્રામ બરાબર છે.” (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૮)
Log in or Register to save this content for later.