ગેસ સિલિન્ડરોનો ડીલર કેવી રીતે હિસાબ લગાવે ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 48)

જે માણસ ગેસ સપ્લાયનો ડીલર છે, અર્થાત ગેસ કંપનીથી ગેસ ખરીદી ઉપયોગકર્તાને ગેસ સપ્લાય કરે છે તે પોતાની ઝકાતનો હિસાબ સિલિન્ડરોની માલિય્યત (પૂંજી)થી નહિ લગાવે, બલકે સિલિન્ડરોમાં મૌજૂદ ગેસની કિંમતના એ’તેબારથી તેના પર ઝકાત વાજિબ થશે. અલબત્ત, ગેસની સાથે ખુદ સિલિન્ડરને વેચાણ પેટે રાખ્યા હોય, તો તેમાં સિલિન્ડર અને ગેસ બંનેની કિંમત જોઇ ઝકાત વાજિબ થશે, કેમ કે પ્રથમ શકલમાં સિલિન્ડરોની હેસિયત કેવળ વાસણની છે અને બીજી શકલમાં સિલિન્ડરો ખુદ તિજારતના માલમાં દાખલ છે. (મુહક્કક વ મુદલ્લલ જદીદ મસાઈલ : ૧૪૬, મર્ગૂબુલ ફતાવા : ૩/૩૩૯, કિતાબુલ મસાઇલ : ર/૧૪૦)

Log in or Register to save this content for later.